Mysamachar.in-જામનગર:
તાજેતરમાં જ જામનગરમાં ગુનાખોરીમાં માથું ઊંચકનાર જેલમાં બંધ રજાક સાઈચાના બેડી નજીક આવેલ સરકારી જમીન પર બની ગયેલ બંગલા પર જીલ્લા વહીવટી તંત્રની તમામ ટીમો મળીએ બુલડોઝર ફેરવી દીધું હતું, જે બાદ આજે જામનગરના ખોજાનાકા તરફ જતા રસ્તા પર 24 મીટર ડીપી રોડની અમલવારી કરવા માટે ટીટોડીવાડી થી માંડીને ઘાંચીની ખડકી સુધીના પોણો કિલોમીટર સુધીના રસ્તામાં 8 મકાનો અને બાકીના વાડા કરી દેવામાં આવેલ દબાણોની જગ્યાઓ ખુલ્લી કરવા માટે આજે જામનગર મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના સીધા માર્ગદર્શનમાં સીટી ઈજનેર ભાવેશ જાની, એસ્ટેટ વિભાગના મુકેશ વરણવા સહિતની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશન કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે, જે લગભગ બપોર સુધી ચાલુ રહેશે તેમ જાણવા મળે છે.