Mysamachar.in-જામનગર:
જામનગરમા ઢોરના ત્રાસે માજા મુકી છે અને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે એટલુ જ નહી ઢોરથી ઇજાઓ થવાના તો ખરા જ ઉપરાંત મૃત્યુ નીપજ્યાના બે બનાવો બન્યા છે, ત્યારે મહિના પહેલા ઢોરથી મૃત્યુ થશે તો ઢોર માલિક સામે ૩૦૪ની કલમ મુજબ ગુન્હો નોંધાશે… તે જાહેરનામા બાદ વધુ એક વખત ઢોરને લગત જ જાહેરનામુ કરીને સંતોષ માની લીધાની નગરમા ચર્ચા છે
કેમ કે અગાઉના વળતર અંગેના જાહેરનામાના થોડા દિવસમા જ એક ખુબ કરૂણ બનાવ બન્યો કે એક યુવાનનુ ઢોરે હડફેટે લેતા ગંભીર ઇજાઓ થવાથી ગોકુલનગરના આશાસ્પદ યુવાનનુ મૃત્યુ થતા તેમના પરિવાર ઉપર આભ તુટ્યુ છે, ત્યારે તે ઢોર માલિક શોધવા માટે મનપાએ કાઈ કર્યું હોય તેવું દેખીતું લાગતું જ નથી, એટલુ જ નહી આ પરિવારને ત્યા સાંત્વના આપવા પણ કોર્પોરેશનના કોઈ જવાબદારો ગયા જ નહી…..!!! એવામાં તાજેતરમાં જ વધુ એક વખત લાલપુર બાયપાસ ચોકડી નજીક એક યુવકને બાઈક આડે પશુ ઉતરી આવતા તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યાનું જાહેર થયું છે.
તેવામા ફરીથી એક જાહેરનામું કરીને શહેરમા ઢોર રાખવા ઉપર જ પ્રતિબંધ મુકી દેવાયો છે અને લીલુ કે ઘાસચારો વેંચવા ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે જેનો ભંગ કરશે તેના ઉપર ગુનો નોંધાશે કેમકે ઢોરથી લોકોને ત્રાસ થાય છે ગંભીર અને જીવલેણ નુકસાની થાય છે માટે આ જાહેરનામુ અમલમા મુકાયાનુ કમિશનર દ્વારા જણાવાયુ છે
-અમલ કોણ કરાવશે?
અગાઉ વ્યાપક જન હિતમાટે mysamachar એ મહત્વના જાહેરનામાઓ માત્ર ફાઇલમા જ છે અને અમલ થતો નથી તે અંગે વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો ત્યારે ઢોરથી થયેલા મૃત્યુના કિસ્સામા પોતાના જાહેરનામા મુજબ કમિશનર સતિષભાઇ ગુન્હો નોંધાવી શક્યાં નથી, તો ફરીથી ઢોર ન રાખવા લીલુ ન વેંચવુ તેનો અમલ કોણ કરાવશે કેમકે જાહેરમા દબાણ ન કરવુ, આડેધડ પાર્કીંગ ન કરવુ,શાળાઓએ વાહન પાર્કીંગની પોતાની જગ્યા રાખવી, જાહેર સલામતીની વ્યવસ્થા કરવી,જાહેરમા ગંદકી નકરવી, વગેરે અનેક જાહેરનામા ફાઇલમા ધુળ ખાય છે,.. એ પણ મ્યુ.કમિશ્નર સતીષભાઇ જાણે છે છતા "હું સતીષ પટેલ…મને મળેલી સતાની રૂએ….." એમ કરી જાહેરનામા કર્યે જ જાય છે.



























































