Mysamachar.in-જામનગર:
જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલી જામનગર પાંજરાપોળ ગૌશાળા જે 151વર્ષ જુની છે. ત્યાં 1100 ગાયોનો નિભાવ કરવામાં આવે છે. જેમાં અપંગ – વૃધ્ધ- સુરદાસ – બિમાર તથા માતા વગરના ગાયોના નાના બચ્ચાઓને રોજ દૂધ પિવડાવીને વર્ષોથી નિભાવ કરવામાં આવે છે.
જામનગરની પાંજરાપોળ ગૌશાળા ગાયોની વિશેષ સેવા કરે છે. તેમાં દરેક ગાય માતાને જુદા જુદા વાડામાં રાખવામાં આવે છે. બિમાર-સુરદાસ – અપંગ – વૃધ્ધ -નાની વાછરડીના વાડા અલગ તથા તેના માટે નો ખોરાક પણ નિયમીત લીલુ-મકાઈ-ગોળ-ખોળ કપાસીયા તમામ જરૂરીયાત મુજબ આપવામાં આવે છે. ગૌશાળામાં 24 કલાક વર્ષોથી પશુ ચિકિત્સકની સેવા મળે છે. જામનગર શહેર અને જીલ્લામાં અનેક સેવાભાવી સંસ્થા તથા બહોળા પ્રમાણમાં સેવાભાવી દાતાઓ છે. તે સર્વેને વિનંતી કે એકવાર રૂબરૂ પાંજરાપોળ ગૌશાળાની મુલાકાત લો, ફેમીલી સાથે સરવેં ને બતાવો કે પાંજરાપોળમાં ગાયોનો નિભાવ કઈ રીતે થાય છે.
આ ઉપરાંત જીવદયા પ્રેમીઓને જણાવવાનું કે, જામનગર જીલ્લામાં લાલપુર તાલુકામાં આવેલા નાના ખડબા ગામમાં પણ બીજી પાંજરાપોળ ગૌશાળા તરીકે વર્ષોથી કાર્યરત છે. આ બંને ગૌશાળા 151 વર્ષથી હજારો અબોલ મુંગા જીવોનો આજીવન નિભાવ કરતી સંસ્થા છે. જેમાં બારેમાસ સેંકડો નિરાધાર પશુઓ અસ્માતમાં ધવાયેલા પશુઓને વિના મુલ્યે સારવાર અપાય છે.
હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિનો પર્વ આપણા માટે ખુબ જ મોટો તહેવાર તો છે જ. પણ સાથે આપણા જીવનમાં પુણ્યનું ભાથુ ગાયોને દાન આપવાનો મોટો દિવસ છે. આપનું સંક્રાંતિદાન ગાય માતા માટે કેટલું અમુલ્ય છે કે જેનાથી મુક પ્રાણી ને ખોરાક – પાણી – સારવાર તથા તંદુરસ્ત જીવન મળે છે. ગૌશાળા માં હવા ઉજાશવાળો મોટો ડોમ, પંખા તથા દર મહીને હેલ્થ ચેકઅપ રાખવામાં આવે છે.
આ સાથે જામનગરના પાંજરાપોળના સંચાલકો દ્વારા છોટી કાશીના સર્વે દાતાઓને અપીલ કરવામાં આવી છે કે જામનગર પાંજરાપોળ ગૌશાળા લીમડાલાઈન ભુમી પ્રેસની બાજુમાં આવેલી છે. જયાં આપણા સર્વે પિતૃ માટે મકર સંક્રાતિના દિવસે ગાયોને દાન આપી ખુબ જ મોટું પુણ્ય મેળવવા અને પાંજરાપોળમાં દાન આપવા સર્વેને અપીલ છે.
જામનગરની પાંજરા પોળમાં આજીવન ગૌ દાન માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આપ આપના પિતૃઓની પુણ્યતિથિ, જન્મ દિવસ, શુભ પ્રસંગ, ઘરનું વાસ્તુ માટે આજીવન દાન રૂા. 11111 આપવા થી તેના વ્યાજ ની રકમમાં જ આપે આપેલી તિથિના દિવસે ગાયોને ઘાસ ચારો આપના પરિવારના હસ્તે નાખવામાં આવશે તેમજ પાંજરાપોળના કાયમી બોર્ડ પર દાતાઓનું નામ પણ રહેશે.સંસ્થાની ઓફીસમાં કાયમી ફોટો તથા તિથિ દાનના રૂા. 25000 નું દાન નક્કી કરાયું છે.
ગાય માતાને લીલો ચારો, ખોળ-ગોળ, કપાસીયા, લાડુંનું દાન પક્ષી માટે ચણનું દાન, બિમાર ગૌવંશ માટે દવાનું દાન આપવા થી માતા પિતા તેમજ સર્વે પિતૃઓ.ના આર્શિવાદ પ્રાપ્ત થાય છે. જામનગરની પાંજરા પોળના સંચાલકો દ્વારા શહેરના શ્રેષ્ઠી ગણ દાતાઓને મકરસંકાતિના દિવસે બહોળા પ્રમાણમાં દાન આપવા માટે તેમજ ગૌ શાળામાં આપના બાળકોને ગાયમાતાના આર્શિવાદ લેવા અચુક ગૌશાળા ની મુલાકાત કરવા અનુરોધ કરવામા આવ્યો છે.





















































