• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, December 11, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર સહિત રાજ્યના 3 જિલ્લામાં ‘આંખ’ પર જોખમ…

મા-બાપો નાની ઉંમરથી સંતાનોને મોબાઈલ પકડાવી દે છે: ડોક્ટર્સ

My Samachar by My Samachar
April 15, 2025
in લાઇફ સ્ટાઇલ
Reading Time: 1 min read
A A
જામનગર સહિત રાજ્યના 3 જિલ્લામાં ‘આંખ’ પર જોખમ…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અનેક પ્રકારની સમસ્યાઓ સર્જી રહ્યો છે. એમાંયે બાળકોની આંખો પર મોબાઈલની જે અસરો દેખાઈ રહી છે તે બાબતમાં આમ તો આખા રાજ્યમાં ચિંતાઓ છે પરંતુ જામનગર સહિતના 3 જિલ્લાઓમાં આ ચિંતાઓ વધુ પ્રમાણમાં છે.

મોબાઈલ આજના જમાનામાં ઉપયોગી છે પરંતુ તેની માઠી અસરો હવે સામે આવી રહી છે. મોબાઈલના વધુ ઉપયોગની ખાસ કરીને બાળકોમાં ઘેરી અસરો જોવા મળી રહી છે. આંખ ત્રાંસી થવી, વિઝન નબળું પડવું, આંખો સૂકી થઈ જવી, બાળકોના માનસમાં ચિડીયાપણું, આંખોમાં રતાશ દેખાવી અને પોઝિટીવ નંબર આવી જવા- એ પ્રકારની ફરિયાદો સમગ્ર રાજ્યમાં બાળકોમાં વધી રહી છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આંખો ત્રાંસી થઈ જવાના કેસ 21 ટકા નોંધાયા છે. વિઝન નબળું પડવાના કેસ 25 ટકા આસપાસ થયા છે. અત્યારે એવું જોવા મળે છે કે, બાળક રડે કે જિદ કરે એટલે માબાપો તેને મોબાઈલ પકડાવી દે છે. સમય જતાં બાળકને મોબાઈલનું વ્યસન થઈ જાય છે અને તેની ગંભીર અસરો બાળકોમાં દેખાવા લાગે છે.

સામાન્ય રીતે, બાળકો અને મોટેરાં પણ મોબાઈલ એકીટશે નિહાળતા હોય છે. આંખ પલકારો પણ નથી મારતી. આથી આંખના તમામ સ્નાયુ પર તણાવ આવે છે. તેનાથી શરૂમાં આંખો અને માથું દુ:ખવાની ફરિયાદો ઉભી થઈ રહી છે. પછી આંખો સૂકી થઈ જાય છે. ઘણાં બાળકોને આંખમાં નંબર હોય, બાળક જણાવી શકે નહીં અને માબાપો આવી બાબતોમાં ઓછા જાગૃત હોય છે, જેને કારણે આવા બાળકો મોબાઈલ જૂએ ત્યારે તેમની આંખો વધુ ખેંચાતી હોય છે.

આંખના નિષ્ણાંત કહે છે: બાળકને કુદરતી રીતે આંખમાં પોઝિટીવ નંબર આવેલો હોય અને કોઈ કારણથી આ બાળક ચશ્મા ન પહેરતું હોય તો ટીવી, મોબાઈલ કે કોમ્પ્યુટર પર જોતી વખતે તેની આંખ પર પ્રેશર આવવાથી આંખ ખેંચાય અને પછી આંખ ત્રાંસી થઈ જાય.

આવા નુકસાનથી બચવા ઓછામાં ઓછી દર 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર દ્રષ્ટિ કરવાથી આંખને રાહત મળે. સ્ક્રીન સમય મર્યાદિત રાખવો પડે. નાના બાળકના કેસમાં વધુ ધ્યાન આપવું પડે. મોબાઈલ તથા કોમ્પ્યુટર આંખથી ઓછામાં ઓછા દોઢ બે ફૂટ દૂર રાખવા જોઈએ.

એક સર્વે અનુસાર, છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ પ્રકારના કેસની સંખ્યા 70 થી 600 વચ્ચે રહી છે. જામનગર, વાપી-વલસાડ અને પંચમહાલ જિલ્લાઓમાં આ કેસની સંખ્યા 1,000-1,000 રહી હોવાનું સર્વેના આંકડાઓ કહે છે.(symbolic image source:google)

SendShareTweetShare

Join Us on Social

Recent News

‘મનરેગા’ યોજનામાંથી 22.68 લાખ શ્રમિકોને OUT કરવામાં આવ્યા..

‘મનરેગા’ યોજનામાંથી 22.68 લાખ શ્રમિકોને OUT કરવામાં આવ્યા..

December 10, 2025
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ભૂલકાં શિક્ષણથી વંચિત !!

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ભૂલકાં શિક્ષણથી વંચિત !!

December 10, 2025
મુખ્યમંત્રીએ ACBના સમારોહમાં કહ્યું હક્ક બહારનું લેવાય જ નહીં

મુખ્યમંત્રીએ ACBના સમારોહમાં કહ્યું હક્ક બહારનું લેવાય જ નહીં

December 10, 2025
ગુજરાતમાં ગામેગામ બોગસ બેંકખાતાં ખૂલી રહ્યા છે !!

જામનગરમાં બેંકખાતાં ભાડે આપવાના મુદે 2 વિરુદ્ધ FIR..

December 10, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

‘મનરેગા’ યોજનામાંથી 22.68 લાખ શ્રમિકોને OUT કરવામાં આવ્યા..

‘મનરેગા’ યોજનામાંથી 22.68 લાખ શ્રમિકોને OUT કરવામાં આવ્યા..

December 10, 2025
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ભૂલકાં શિક્ષણથી વંચિત !!

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ભૂલકાં શિક્ષણથી વંચિત !!

December 10, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®