Mysamachar.in:જામનગર
જામનગરમાં 1404 આવાસનાં સંદર્ભમાં ઠેકઠેકાણે રિ-ડેવલપમેન્ટ પ્લાનની વાતો થઈ રહી છે પરંતુ બીજી તરફ આખા રાજયમાં સ્થિતિ એ છે કે, બિલ્ડર લોબીને હાલ આ દિશામાં આગળ વધવામાં બહુ રસ નથી. કેમ કે, તેઓને ધાર્યો લાભ મળી રહ્યો નથી. આ સ્થિતિમાં જામનગરમાં રિ-ડેવલપમેન્ટ પોલીસીનાં અમલમાં વિલંબ થઈ શકે છે. અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, આખા રાજ્યમાં રિ-ડેવલપમેન્ટ પ્લાન પર માઠી અસરો જોવા મળી રહી છે. ઘણાં ધંધાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ રદ્દ કરી નાંખ્યા છે. ઘણાં બિલ્ડર્સ તો આ મુદે ચર્ચા કરવા પણ રાજી નથી.
સૂત્ર કહે છે : જંત્રી ડબલ થયાં બાદ આ પ્રકારનાં કામોમાં બિલ્ડરોને બિલ્ટ અપ એરિયા ઓછો મળી રહ્યો છે. બિલ્ડરોની સૌથી મોટી સંસ્થા credai પણ કહે છે કે, જંત્રી અને FSI પ્રાઇસ ડિ-લીંક કરવી જોઈએ. જંત્રીનાં ભાવો ડબલ થયાં તે પહેલાં જે રિ-ડેવલપમેન્ટ પ્લાન સાઈન થયાં હતાં તે પણ હાલ અટકી પડયા છે. બિલ્ડરોને FSI ખરીદવા બમણાં નાણાં ચૂકવવા પડે છે. જેને કારણે બિલ્ડર હવે ઓછો બિલ્ટ અપ એરિયા ઓફર કરે છે. અગાઉ રિ-ડેવલપમેન્ટ પછી વધારાની 40 ટકા જગ્યા ઘરમાલિકોને મળતી જે હવે 25 ટકા જ મળી રહી છે.