Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ તાલકાના હંસ્થળ ગામે એક ખુબ મોટી કહી શકાય તેવી ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક સિંહણને વીજશોક લાગતા તે મોતને ભેટી હતી જે બાદ કેટલાક ઈસમો દ્વારા આ સિંહણને જૂની એટલે કે બંધ થયેલ ખાણમાં દફનાવી દેતા ફોરેસ્ટની ટીમ આ સિંહણમાં લગાવેલ જીપીએસ દ્વારા ટ્રેક કરતા કાલાવડ સુધી પહોચી હતી અને જે બાદ સિંહણનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો,
આ અંગે જયારે જુનાગઢ સીસીએફ ડો.રમેશજી વિગતો આપતા કહે છે કે ગતરાત્રીના અમારા સ્ટાફ પેટ્રોલિંગ કરતા હતા ત્યારે તેવોને દુર્ગંધ આવતા તેવોએ તપાસ કરતા ત્યારે કાલાવડના હંસથલ નજીક એક પડતર જૂની ખાણ ધ્યાને આવી હતી તેમાં કોઈ પશુ દફનાવેલ હોય તે મળી આવ્યું હતું જેને બહાર કાઢી તપાસ કરતા સામે આવ્યું કે આ તો સિંહણ છે, જે બાબતે અમો પોતે પણ આજે સવારથી સ્થળ પર છીએ, અને પશુ તબીબ અને એફ એસ એલ સહિતની ટીમો પણ સ્થળ પર છે, જ્યાં મળી આવેલ સિંહણનું સ્થળ પર પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તે સિંહણ વીજશોકથી મોતને ભેટી હોવાનું અનુમાન છે, મોતને ભેટ્યા બાદ સિંહણને આ રીતે બંધ ખાણમાં દફનાવી દીધાનુ સામે આવે છે, હાલ આસપાસના તમામ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ ચાલુ છે અને પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે, આ અંગે જરૂરી કાયદાકીય કાર્યવાહીઓ પણ જવાબદારો જે કોઈ હશે તેની વિરુદ્ધ કરવામાં આવશે.