• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 7, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

સુઝલોન પવનચકકીનો મામલો હાલ કલેક્ટરના દરબારમાં

My Samachar by My Samachar
November 17, 2023
in જામનગર
Reading Time: 1 min read
A A
સુઝલોન પવનચકકીનો મામલો હાલ કલેક્ટરના દરબારમાં
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર;

જામનગર તાલુકાના 11 ગામોના કુલ 21 સ્થળોએ સુઝલોન પવનચકકી કંપનીનો પથારો હાલ યથાવત્ સ્થિતિમાં પડ્યો છે અને કલેક્ટર દ્વારા કંપની સંબંધે શું નિર્ણય લેવામાં આવે છે.? તેના પર આ આખો મામલો હાલ નિર્ભર હોવાનું બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડાં સમય અગાઉ ગ્રામ્ય પ્રાંત અધિકારીએ કંપનીની કામગીરીઓને રુકજાવનો હુકમ કર્યો હતો જેની વિરુદ્ધમાં કંપની ખુદ કલેક્ટર સમક્ષ પહોંચી છે, જયાં તેણે સુધારા હુકમની માંગણી કરી છે.

થોડાં સમય અગાઉ જામનગર તાલુકાના ગામડાંઓમાં આક્ષેપો સાથે બુમરાળ ઉઠી હતી કે, સુઝલોન નામની પવનચકકી કંપની પોતાની કામગીરીઓમાં મનમાની કરે છે. તંત્રએ મૂકેલી શરતોનો પણ ભંગ કરે છે અને નિયત જગ્યાને બદલે અન્ય જગ્યાઓ પર પવનચકકીઓ લગાડે છે, ગ્રામ્ય વિસ્તારની જમીનો પર દબાણ પણ કરે છે. આ રજૂઆતો અને બાદની તપાસમાં તથ્ય બહાર આવતાં જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરિયાએ જે-તે સમયે કંપનીની આ મનમાની પર મનાઈ હુકમ દ્વારા બ્રેક લગાવી હતી.

જો કે એમ છતાં કંપનીએ મનમાની ચાલુ રાખી હતી જેને કારણે ગ્રામજનોએ ઉહાપોહ કર્યો હતો અને તેથી તંત્રએ સ્થળ પર દોડી જવું પડયું હતું અને કંપનીની કામગીરીઓ બાદમાં બંધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ કંપનીએ કાગળ પર એક અન્ય ગેઈમ આદરી છે અને આ ગેઈમના ભાગરૂપે અગાઉનો મનાઈહુકમ કામચલાઉ ઉઠી જતાં કંપનીએ પોતાની કામગીરીઓ ફરી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. કંપનીની કામગીરીઓ ફરી શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ફરી કંપની વિરુદ્ધ સળવળાટ શરૂ થયો છે. 

ગ્રામ્ય પ્રાંત અધિકારીના મનાઈહુકમ બાદ પણ સુઝલોન કંપની આ તમામ વિસ્તારોમાં પોતાની કામગીરીઓ કેવી રીતે આગળ ધપાવી રહી છે?! એ પ્રશ્નનો ઉત્તર મેળવવા આજે Mysamachar.in દ્વારા ગ્રામ્ય પ્રાંત અધિકારીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓના જણાવ્યા અનુસાર, હવે આ આખો મામલો કલેક્ટર હસ્તક છે. કારણ કે કંપની જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં પહોંચી છે.  

સુઝલોન કંપનીએ ગ્રામ્ય પ્રાંત અધિકારીના હુકમ વિરુદ્ધ જિલ્લાકક્ષાએ જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુધારાહુકમ માટે અરજી કરી છે. આ મુદ્દે પ્રાંત અધિકારીએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, હાલમાં આ મામલો જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ હોય, અગાઉનો મનાઈહુકમ હાલ અમલમાં નથી અને કંપની શરતો મુજબ પોતાની કામગીરીઓ આગળ ધપાવી રહી છે.

કલેક્ટર કક્ષાએ જો કંપનીની સુધારાહુકમની માંગણી મંજૂર થશે તો કંપની શરતો મુજબ અગાઉ ફાળવવામાં આવેલી જગ્યાઓ પર કામગીરીઓ કરી શકશે. અને એ રીતે અગાઉના મનાઈહુકમમાં સુધારો કરી આપવામાં આવશે અને જો કંપનીની સુધારાહુકમની માંગણી મંજૂર નહીં થાય તો અત્યાર સુધીની અને હવે પછીની તપાસ અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ કક્ષાએથી કંપનીને પેનલ્ટી થઈ શકે છે અને બાદમાં શરતો મુજબની કામગીરીઓ કરવાની કંપનીને છૂટ મળી શકે છે. 

સૂત્રના જણાવ્યા અનુસાર, કાગળ પરની આ ગેઈમ બાદ સુઝલોન કંપની પોતાની ગતિવિધિઓ આગળ વધારવા માટેની લીલી ઝંડી મેળવી લેવાની દિશામાં આગળ વધી રહી છે અને તેની સાથે-સાથે કંપનીને સામાન્ય રકમની પેનલ્ટી ભરવાનો પણ આદેશ થઈ શકે છે. જો કે હાલ આ મામલો મેજિસ્ટ્રેટ કોર્ટમાં હોય, આ મુદ્દે વધુ વિગતો જાહેર થવા પામી નથી.

-સુઝલોન ખાણખનિજ વિભાગમાં પણ ખેલ કરે છે  !!

અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, સુઝલોન કંપનીએ અન્ય પવનચક્કી કંપનીઓની જેમ ખાણખનિજ વિભાગમાં પણ કાગળ પર ગેઈમ ગોઠવી લીધી છે. કંપનીને તોતિંગ પવનચકકીઓના પાયા એટલે કે ફાઉન્ડેશન માટે માટી-મોરમ અને પથરાળ જમીનોના મોટા ખોદકામની જરૂરિયાત ઉભી થતી હોય છે, અને આ જમીનોમાંથી ટનબંધ ખનિજ પણ ખોદી કાઢવું પડતું હોય છે, આ ઉપરાંત વિવિધ ગામોથી દૂરના સ્થળોએ આવેલી કંપનીની સાઈટ્સ સુધી પહોંચવા કંપનીને પોતાના વાહનોની અવરજવર માટે ઘણાં રસ્તાઓનું પણ નિર્માણ કરવું પડતું હોય છે અને આ બધી કામગીરીઓ માટે કંપનીને હજારો ટન માટી મોરમ વગેરેની જરૂર પડતી હોય છે,

પરંતુ ખૂબીની વાત એ છે કે, સુઝલોન સહિતની એક પણ પવનચકકી કંપની આ બધી કામગીરીઓ માટે ખાણખનિજ વિભાગમાં એપ્લાય થતી નથી. આ પવનચકકી કંપનીઓ આ બધી કામગીરીઓ પેટા કોન્ટ્રાક્ટર હસ્તક પતાવી લેતી હોય છે તેથી મહેસૂલ વિભાગમાં તથા ખાણખનિજ વિભાગમાં કયાંય પણ, કોઈ પણ પવનચકકી કંપનીના નામે આ કામગીરીઓ માટે મંજૂરીઓ મેળવવા વગેરેની કાર્યવાહીઓ થતી હોતી નથી, તેથી કંપનીને કાયદાકીય જફાઓ બહુ રહેતી નથી અને પૈસા ફેંકો તમાશા દેખો કહેવત અનુસાર કંપનીઓ પોતાના કામોને આગળ ધપાવી લેવામાં સફળ થતી હોય છે અને આવી બાબતોમાં સંબંધિત તંત્રો ઝીણું કાંતવાને બદલે આંખ આડા કાન કરવામાં શાણપણ દેખતાં હોવાનું પણ સૂત્ર જણાવે છે. આ રીતે કાયદાની છટકબારીઓના લાભો અને ગેરલાભો લેવાતાં રહેતાં હોય છે.જો કે પવનચક્કી કંપનીઓ અંગેના મામલાઓ તલસ્પર્શી તપાસ માગી લેતા પણ છે. જો તેવું થાય થાય તો જાણકારોને મતે કંપનીની તિજોરીઓને મોટો ફટકો પડી શકે તેમ છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની હવાની ક્વોલિટી સુધારવા માટે થશે રૂ. 20 કરોડનો ખર્ચ..

June 7, 2025
જામનગરમાં  2 મોબાઈલ ચોર ઝડપાયા પણ પોલીસની ‘કહાની’ અલગ અલગ !

જામનગરમાં  2 મોબાઈલ ચોર ઝડપાયા પણ પોલીસની ‘કહાની’ અલગ અલગ !

June 7, 2025
ફૂડ-આરોગ્ય : કેન્દ્ર સરકારને ગુજરાત સહિતના રાજ્યની ચિંતાઓ…

ખાદ્યસુરક્ષા દિવસની ઉજવણી : બેફામ ભેળસેળ અટકાવવાનું શું ?

June 7, 2025
સગીરાઓ સાથે દુષ્કર્મ આચરવાના બે કેસોમાં સખત કેદની સજાઓ…

જામનગર: ધારાશાસ્ત્રી જમન ભંડેરીની કસ્ટમ્સ વિભાગના ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક

June 7, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરની હવાની ક્વોલિટી સુધારવા માટે થશે રૂ. 20 કરોડનો ખર્ચ..

June 7, 2025
જામનગરમાં  2 મોબાઈલ ચોર ઝડપાયા પણ પોલીસની ‘કહાની’ અલગ અલગ !

જામનગરમાં  2 મોબાઈલ ચોર ઝડપાયા પણ પોલીસની ‘કહાની’ અલગ અલગ !

June 7, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®