Mysamachar.in-જામનગર:
હાલાર સહિત સમગ્ર રાજ્યમા લાખો નહી બલ્કે કરોડો વાહન ચાલકો એકાદ બે દિવસે કે અઠવાડીયે અવશ્ય ફરજીયાત ગ્રાહક તરીકે જતા હોય છે તેવા સ્થળ પેટ્રોલ પંપો ઉપર તમામ સુવિધા જળવાય અને તોલમાપ પણ કાયમ યોગ્ય હોય તે આવશ્યક છે અને આ બાબતે તોલમાપ વિભાગ અને ઓઇલ કંપનીઓ એ સતત દેખરેખ રાખવાની હોય છે, પરંતુ કમનસીબે આ થઇ રહ્યુ નથી નહી તો પેટ્રોલ પંપ ઉપર પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા , ટોયલેટની વ્યવસ્થા, પાર્કીંગની વ્યવસ્થા,વાહન સલામતીની વ્યવસ્થા ,વાહનોના ટાયરમા હવા ભરવાની વ્યવસ્થા વગેરે હોવુ ફરજીયાત છે પરંતુ જુદા જુદા વાહનધારકોના અભિપ્રાય જાણતા અમુક પેટ્રોલપંપને બાદ કરતાં પેટ્રોલ પંપ ઉપર આવી કોઇ સુવિધા જોવા નથી મળતી તો ઘણી જગ્યાએ તો ફાયર સેફટી પણ અપુરતી હોવાનુ જાણવા મળે છે.
-એક વર્ષમા જુજ ચેકીંગ
પેટ્રોલ પંપ મંજુરી બાદ ઓઇલ કંપનીઓના જવાબદારો તો મોટા ભાગે ફરકતા નથી તો તોલમાપ કે પુરવઠા વિભાગને પણ ફુરસદ મળતી નથી માટે જ જિલ્લાના તમામ ૧૩૦ પંપો ઉપર વર્ષ દરમ્યાન ચેકીંગ થતુ જ નથી સરકાર પરવાના કે રીન્યુઅલ વગેરે પ્રક્રિયામા છુટછાટ જાહેર કરે પરંતુ ગ્રાહકના હિત જાળવવાના મામલે તો તમામ ચેકીંગ થવા જ જોઇએ અને સુવિધા ઉપરાંત માપ યોગ્ય હોવો જોઇએ કેમકે પેટ્રોલ પુરતી વખતે રીડીંગ જમ્પીંગના કસબ અમુક સ્થળે થતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે પરંતુ તે અંગે વાહનધારકો એટલે ગ્રાહકોના હિતના મોટાભાગે જતન થતા નથી તેમ જાણકારોનો અભિપ્રાય છે.