Mysamachar.in-જામનગર:
વડાપ્રધાન લોકસભા ચૂંટણીઓના ત્રીજા તબક્કાના મતદાન પહેલાં જામનગર અને જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં વાયુવેગી ચૂંટણી પ્રવાસ માટે આવી રહ્યા છે, બીજી મે નાં સાંજે પાંચ વાગ્યે શહેરના પ્રદર્શન મેદાનમાં યોજાનારી આ જનસભા માટે જામનગર બીજેપી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંગઠનના તમામ હોદ્દેદારોને વિવિધ જવાબદારીઓ આપવામાં આવી છે. બેઠક વ્યવસ્થા સહિતની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે સંગઠનના પદાધિકારીઓ અને અગ્રણીઓ વગેરેની બેઠકો માટેના પ્લાનિંગ આગળ વધી રહ્યા છે. હાલના ચૂંટણી વાતાવરણને ચાર્જ કરવામાં વડાપ્રધાનની આ સભા બીજેપી માટે બહુ ઉપકારક નીવડશે એમ માનવામાં આવે છે.ખુબ મોટી સંખ્યામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાંથી નાગરીકો આ સભામાં ઉમટી પડે તે પ્રકારના પ્રયાસો પક્ષના હોદેદારો દ્વારા સંગઠન સ્તરે ચાલી રહ્યા છે.