Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં તથા દેશભરમાં સરકારી અને ખાનગી તબીબો પર તેમજ હેલ્થ વર્કર પર હુમલાનાં બનાવો બનતાં રહેતાં હોય છે. આ સંદર્ભમાં સુપ્રિમ કોર્ટે સોમવારે એક સ્પષ્ટતા કરી છે.સુપ્રિમ કોર્ટમાં એવી અરજી થઈ હતી કે, ખાનગી હોસ્પિટલોમાં તબીબો અને હેલ્થ વર્કર પર થતાં હુમલાઓ અટકાવવા હોસ્પિટલોને સિક્યોરિટી કવર મળી રહે તે માટે (અદાલતે) સત્તાવાળાઓને આદેશો આપવા જોઈએ.આસામ તથા દિલ્હીનાં ખાનગી તબીબોના સંગઠનોએ આ પ્રકારની માંગણી અદાલતમાં કરી હતી જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારના સિક્યોરિટી કવર આપવાની જવાબદારી રાજ્ય કે કેન્દ્રની સરકારોની નથી. અદાલતે વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલો સ્વતંત્ર ધંધાદારી એકમો છે. આવાં એકમોએ પોતાનાં કર્મચારીઓની સલામતી નિશ્ચિત કરવી જોઈએ. આ પ્રકારના સલામતી કવચ આ પ્રકારના એકમોને પૂરાં પાડવા અંગે સરકારોને ના કહી શકાય. આ સિક્યોરિટી કવર પૂરૂં પાડવાની જવાબદારી સરકારોની ન લેખાય એમ પણ અદાલતે કહ્યું.