Mysamachar.in-ગુજરાત
જાણીતા કથાકાર મોરારિબાપુ પર પબુભાએ કરેલ હુમલાના પ્રયાસનો વિવાદ વધતો જ જઈ રહ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા સહીત સમગ્ર રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વિવિધ સંગઠનો, સમાજો અને સંતો દ્વારા આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, આજે રાજ્યમાં ક્યાં અને કોના દ્વારા વિરોધ થયો તેના પર નજર કરવામાં આવે તો…
-વીરપુર જલારામ મદિર દ્વારા સમગ્ર મામલાને વખોડી કાઢવામાં આવ્યો…
સુપ્રસિદ્ધ વીરપુર જલારામ બાપાના પરિવાર દ્વારા પબુભા દ્વારા કરાયેલ કૃત્ય ને વખોડી કાઢી અને બાપુ પર હુમલાના પ્રયાસને લઈને વેપારીઓમાં રોષ સાથે આજે વીરપુર બંધનું એલાન આપવામાં આવ્યું જેમા તમામ વીરપુર વેપારીઓ અને ગ્રામજનો દ્વારા વીરપુર બંધને સમર્થન આપ્યું હતું, અને રાજકોટ કલેકટર ને આવેદન આપવામાં આવ્યું હતું,
-ભાવનગરમાં મહુવા બંધ પાડી વિરોધ પ્રદર્શિત કર્યો
મોરારીબાપુ જયારે દ્વારકા ખાતે માફી માંગવા પહોચ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધન કરતી વેળાએ ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારીબાપુ ઉપર હુમલાની કોશિશ કરવાના ઘટના મહુવામાં પણ પડ્યા અને મહુવા બંધનું આજે એલાન કરવામાં આવ્યું હતું મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસના વિરોધમાં આજે મહુવામાં સજજડ બંધ પાડવામાં આવ્યો છે. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ, નાના-મોટા વેપારીઓ, વિવિધ સંગઠનો, સમાજના આગેવાનો, હિન્દૂ તથા મુસ્લિમ ભાઈઓ, વિવિધ સંસ્થાઓ અને એકમો આ બંધમાં જોડાયા છે.
-સુરત: ત્રી પાંખ સાધુ સમાજ દ્વારા મોરારીબાપુ ના સમર્થનમાં આવેદનપત્ર…
તો સુરતમાં પણ ઘટનાના ઘેર પ્રત્યાઘાતો જોવા મળ્યા સુરત ત્રી પાંખી સાધુ સમાજ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી પગલા લેવાની માંગની કરવામાં આવી, અને પબુભા માણેક માફી માંગે તેવી માંગ પણ કરાઈ
-સુરેન્દ્રનગરમા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું
દ્વારકા ખાતે મોરારીબાપુ સાથે અયોગ્ય વર્તનને મામલે સુરેન્દ્રનગર યુવા સાધુ સમાજ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો અને મોરારીબાપુ પર થયેલ હુમલાના પ્રયાસના બનાવને વખોડી કાઢી પબુભા માણેક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ સમયે સંતો-મહંતો સહીત સાધુ સમાજના હોદેદારો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા.
-દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મોરારીબાપુ ના સમર્થન માં આવેદનપત્ર પાઠવામાં આવ્યું
જે વિસ્તારમાં પબુભા માણેક ચૂંટાઈ આવે છે તે દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના સમસ્ત સાધુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને કલ્યાણપુર તાલુકા સમસ્ત વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા આ સમસ્ત સાધુ સમાજનું અપમાન હોઈ આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ
-જામનગરમાં માનસ પરિવાર દ્વારા આવેદનપત્ર
જામનગરના માનસ પરિવારના મુકુન્દ બદીયાની સહિતના લોકો દ્વારા પણ મોરારીબાપુ પર થયેલ હુમલાની ઘટનાને વખોડીને પબુભા માણેક સામે પગલા લેવાઈ તેવી માંગ કરવામાં આવી