Mysamachar.in-જામનગર:
પાટીદાર સમાજ દ્વારા જામનગર જિલ્લાની તમામ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સાથેની સભા યોજવામાં આવી હતી.જેમાં પૂર્વ આઈ.એ.એસ.અધિકારી બી.એચ ધોડેસરા સહિત જિલ્લા ભાજપના આગેવાનો તથા યુવા ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર જામનગર કેસરિયો લહેરાવવા અને કમળ ખીલવવાનો નિર્ધાર કરી ચૂક્યું છે એ વાતનો શંખનાદ ગઈકાલ તા.20/11/22 રોજ હાપા ખાતે શ્રી સમસ્ત પાટીદાર સમાજ, જામનગરના ભવ્ય સંમેલનમાં થઈ ચૂક્યો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું.પાટીદાર સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, યુવાનો અને નારીશક્તિનો હૃદયના ઉત્સાહ, ઉમળકા અને લાગણી બદલ ગ્રામ્ય વિધાનસભાના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલએ પણ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.