Mysamachar.in-જામનગર
હજુ તો ગઈકાલની જ વાત છે કે અમદાવાદ અને રાજકોટના જંગલેશ્વરમાં થી જામનગર શહેર સુધી દંપતી ઘુસી ચુક્યા બાદ પોલીસે તેને અન્ય જીલ્લામાં પ્રવેશબંધી હોવા છતાં પણ જામનગર શહેરની હદમાં પ્રવેશ કર્યો હોય બન્ને દંપતી સામે જાહેરનામાં ભંગનો ગુન્હો દાખલ કર્યાને હજુ તો ગણતરીની જ કલાકો થઇ છે. ત્યાં વધુ એક વખત ઘટસ્ફોટ થયો જેમાં મૂળ જામનગરના રહીશ પણ રાજકોટ ગયેલ હોય ત્યાંથી લોકડાઉન ચાલી રહ્યું છતાં પણ જામનગરમાં ચોરીછૂપીથી ઘુસી જનાર દંપતી વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુન્હો દાખl કરવામાં આવ્યો છે,
જામનગરના એમ પી શાહ ઉદ્યોગ નગર પાછળ આવેલ કુકડા કેન્દ્ર પાસેના ઈટોના ભઠ્ઠા નજીક રહેતા રજાક શેખ તેમજ મુમતાજ રજાક શેખ lockdown પહેલા રાજકોટના રૂખડીયા અને મફતીયાપરા વિસ્તારમાં ગયા હતા, પરંતુ lockdown ના પગલે આ દંપતી રાજકોટમાં ફસાઈ ગયું હતું, ત્યાર પછી તેઓ ગત તારીખ 16 ના રોજ જીજે 10 ટી એક્સ 66 34 નંબરના ટેન્કરમાં બેસી જામનગરમાં ઘૂસી ગયા હોવાની બાતમી એલસીબીને મળતા એલસીબીએ આ દંપતી તેમજ ખંભાળિયામાં રહેતા ટેન્કરના ચાલક હમીદ ઈબ્રાહીમ સંધી સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોરોના વાયરસ જામનગરમાં ફેલાય નહીં તે માટે દંપતી તથા ટેન્કર ચાલકને આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ તપાસણી કરવા ઉપરાંત તેને હોમકોરોનટાઈન કરવામાં આવ્યા છે