Mysamachar.in-જામનગર:
સમગ્ર ગુજરાત રાજ્યના રાજપૂત સમાજના સર્વાંગી વિકાસ માટે જુદા જુદા જિલ્લાઓમાં રાજપૂત સમાજના સંગઠનો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થતું રહે છે. આ સ્નેહમિલનમાં રાજપૂત સમાજને સ્પર્શતા પ્રશ્નો જેવા કે શિક્ષણ, રોજગાર, ઉદ્યોગ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ ક્લાસ, સામાજિક અને રાજકીય પ્રશ્નોનો સહકાર સાથે ઉકેલ લાવવા છેલ્લા 10 વર્ષથી રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા દરેક જિલ્લાઓમાં આ પ્રકારના આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વખતે જામનગર ખાતે આ આયોજન આજથી બે દિવસ માટે આયોજિત કરવામાં આવ્યું છે જેમાં રાજ્યભરના રાજપૂત સમાજના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.જામનગરમાં આજે અને આવતીકાલે રવિવારે એમ બે દિવસ માટે આ સમારોહ પંચાયત કર્મચારીનગર ખાતે યોજવામાં આવ્યો છે.
આ 11માં સ્નેહમિલનમાં પ્રદ્યુમનસિંહ જાડેજા ચેરમેન, ગુજરાત રાજ્યની રાજપુત સંસ્થાઓની સંકલન સમિતિ વિક્રમસિંહ મહારાઉલજી, આ સંસ્થાના સ્થાપક અને મુખ્ય સલાહકાર વાસુદેવસિંહ ગોહિલ આ સંસ્થાના કન્વિનર અને પ્રમુખ ગોહિલવાડ રાજપૂત સમાજ રમજુભા જાડેજા આ સંસ્થાના મુખ્ય સંકલનકર્તા વિરેન્દ્રસિંહ જાડેજા- ધારાસભ્ય, ભચાઉ કચ્છ, ધર્મેન્દ્રસિંહ ડી.જાડેજા (હકુભા)- પૂર્વમંત્રી, રિવાબા જાડેજા ધારાસભ્ય જામનગર ઉતર, જયરાજસિંહ પરમાર- પ્રવક્તા ભા.જ.૫.ગુજરાત પ્રદેશ, વિરમદેવસિંહ ચુડાસમા આ સંસ્થાના પૂર્વ ચેરમેન, પી.એસ.જાડેજા પ્રમુખ જામનગર રાજપૂત સેવા સમાજ, પ્રવીણસિંહ જાડેજા (સોગઠી.) નિવૃત્ત ટી.ડી.ઓ, ઘનશ્યાસિંહ સોઢા-નિવૃત્ત એ.સી.એફ, પ્રવિણસિંહ જે.જાડેજા (સેવક ધુણીયા), ભાજપ મહામંત્રી,જામનગર તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓ તથા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાનો અને યુવાનો હાજર રહેશે.