Mysamachar.in-જામનગર
આજનો સમય યુવાઓનો સમય છે, યુવાઓને યોગ્ય તક આપવામાં આવે તો યુવાઓએ તક પર ખરા ઉતરી શકે છે, તેમાં રાજકીય ક્ષેત્રની વાત હોય કે પછી સામાજિક ક્ષેત્રને લગત કે વ્યવસાયિક ક્ષેત્રને લગત વાત હોય…આવા જ એક યુવા અને કઈક કરી છૂટવાની ભાવનાવાળા તરવરીયા યુવાને જામનગર શહેરની મહત્વની કહી શકાય તેવી કમાન મનપામાં સંભાળી છે, અહી અમે વાત કરવા જઈ રહ્યા છે..જામનગર મનપાના નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયાની..
મનીષ કટારીયાના પિતા પરસોતમભાઈ કટારીયા 30 વર્ષ સુધી ભાજપના સનિષ્ઠ કાર્યકર તરીકે કોઈ હોદ્દાની મોહ વગર સેવા આપી અને પાર્ટીનું કામ કરતા રહ્યા હતા, તે બાદ પરિવારના મનીષ કટારીયાએ 17 વર્ષની વયે જ ભાજપના સક્રિય કાર્યકર તરીકે વોર્ડ નંબર 14માં એક્ટીવ થયા હતા અને ત્યારથી તેવોએ લોકસંપર્ક કેળવવાની શરૂઆત કરી હતી, તેમની સક્રિયતાની નોંધ લઈને પાર્ટીએ તેને પ્રથમ વખત વર્ષ 2013માં જામનગર શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી બાદમાં 2015માં તેવોને વોર્ડ નંબર 14માં મનપાની ચુંટણીમાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા અને તેવોએ જંગી મતોથી વિજેતા થયા હતા..
જે બાદ કોર્પોરેટરની સાથે-સાથે મનીષ કટારીયાને 2016માં જામનગર શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, અને તાજેતરમાં જ 2021ની મનપાની ચુંટણીમાં પણ તેવોને પાર્ટી તરફથી પેનલ જીતાડવાની જવાબદારી સોંપી હતી તેના પર પણ મનીષભાઈ ખરા ઉતર્યા હતા..આમ વિસ્તારના મતદારોનો વિશ્વાસ, સંગઠન પાંખનો વિશ્વાસ અને સીનીયર નેતાઓ સાથે સુચારુ સંકલન જાળવી અને વિશ્વાસ જીતવામાં સફળ રહેલા અને સ્વચ્છ છબી ધરાવતા અને લોકોના કામો માટે સક્રિય રહેનાર મનીષભાઈ પર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂકી અને જામનગર મહાનગરપાલિકા અને શહેર માટે મહત્વની કહી શકાય તેવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે મનીષભાઈની વરણી કરવામાં આવી છે.
“MY SAMACHAR” સાથેની ખાસ વાતચીતમાં કટારીયાએ કહ્યું કે આપણું જામનગર શહેર સમસ્યામુક્ત અને સુવિધાયુક્ત બને તેવી મારી ટર્મમાં પ્રાથમિકતા રહેશે, શહેરના પાર્કિગ, ટ્રાફિક, અને રખડતા પશુઓ સહિતના પ્રશ્નો પર અમારી ટીમ અત્યારે આ તમામ સમસ્યાઓનું કાયમી નિરાકરણ કઈ રીતે આવે તે દિશામાં સતત પ્રત્યનશીલ છે, અમને આશા છે કે આ દિશામાં કઈક સારું કરી શકાશે…જામનગર શહેર મોડેલ બને બ્યુટીફીકેશનના કામો થાય…નવા નવા વિકાસના કામો જે લોકોની જરૂરિયાત મુજબના વિસ્તારવાઈઝ કામો થતા રહે તેવી મારી નેમ છે.
-સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની લોકોને અપીલ
જામનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયાએ “માયસમાચાર” સાથેની વાતચીતમાં લોકોને અપીલ કરી છે કે લોકો પોતાના વિસ્તારની સફાઈમાં સહયોગ આપે અને આપણું શહેર સ્વચ્છ શહેર અને રળીયામણું શહેર બને તે માટે આગળ આવે…વધુમાં આ વખતે કુદરતની મહેર છે કે જળાશયો પાણીથી છલોછલ છે છતાં લોકો પાણીનો જરૂર પુરતો ચોક્કસ ઉપયોગ કરે પણ પાણીનો વેડફાટ ના કરે તેવી અપીલ પણ તેવોએ કરી છે.