Mysamachar.in-જામનગર:
લોકસભા ચૂંટણી 2024ની કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા સતાવાર જાહેરાત કરી દેવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતાની અમલવારી શરુ થઈ ગઈ છે, ત્યારે જામનગર સહીત જ્યાં પણ ચુંટણીઓ છે ત્યાં આ તમામ નિયમો સ્થાનિક સ્તરે જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરી દ્વારા રાજકીય પક્ષો, ઉમેદવારો, સામાન્ય નાગરીકો સૌ કોઈને લાગુ પડે તે રીતે લાગુ કરી દેવામાં આવતા હોય છે આવા જ કેટલાક પ્રતિબંધો અને જાહેરનામાઓ જામનગર જીલ્લા મેજીસ્ટ્રેટ બી.કે.પંડ્યા અને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા લાગુ કરી દેવામાં આવ્યા છે તેની પર નજર કરવામાં આવે તો…..
-લોકસભા સામાન્ય ચુંટણી–2024 અંતર્ગત ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે 5 કરતાં વધુ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
-ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી-/મદદનીશ ચૂંટણી અધિકારી-ની કચેરીના 100 મીટરના વિસ્તારમાં 3 થી વધુ વાહનો રાખવા/હંકારવા પર પ્રતિબંધ
-જામનગર જિલ્લામાં ચુંટણી પ્રચાર સંબંધિત સાહિત્યનું પ્રદર્શન ન કરવા પર પ્રતિબંધ
-જામનગર જિલ્લામાં શાંતી, સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વિવિધ કૃત્યો પર જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ જેમાં જે મુજબ છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સંબંધિત મતદાર વિભાગના મદદનીશ નિવાર્ચન અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેને પરીણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, કે ચાળા કરવાની અને તે ચિત્રો, તે નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ રહેશે.
-ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી પરવાનાવાળા હથિયારો પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
-જામનગર જિલ્લામાં 4 કરતા વધુ વ્યક્તિઓની મંડળી રચવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ
-ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય મતદાન મથકથી 200 મીટરના વિસ્તારમાં, શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ
-જામનગર જિલ્લામાં સરઘસ, સભા યોજવા કે તેમાં ભાગ લેવા તેમજ હથિયાર સાથે જાહેર સ્થળોએ ફરવા પર પ્રતિબંધ
આ તમામ પ્રતિબંધો અને જાહેરનામાની અમ્લ્વારીઓ ચૂંટણી આચારસંહિતા લાગુ થયાથી અમલવારીની 6 જુન 2024 સુધીની રહેશે