Mysamachar.in:જામનગર
ગત તા.26 ફેબ્રુઆરી રવિવારના દિવસે ગોકુલનગર સરદારનગર વિસ્તારમાં કપાતર પુત્રએ તેની પત્ની સાથે મળી પિતાને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી હતી જે ઘટનામાં એલસીબી ટીમે આરોપી એવા પુત્રને ઝડપી પાડ્યો છે, સુનીલભાઇ શંકરદાસ અગાઉં ચોરીના ગુનામાં પકડાયેલ હોય, અને ચોરી કરવાની ટેવ હોય જેથી તેઓના પિતા શંકરદાસએ ઠપકો આપેલ,જે કારણે સુનીલે તેમના પિતા શંકરદાસને ખાટલામા હાથપગ બાંધી દઇ ગળામાં દોરી બાંધી મોઢે ડુચો ભરાવી પત્નીની મદદથી મોતને ઘાટ ઉતારી દીધેલ.
જે બાદ આરોપીને પકડી પાડવા સી ડીવીઝન ડી સ્ટાફ અને જામનગર એલસીબી ટીમના માણસો સતત વોચમાં હતા ત્યાં એલ.સી.બી.ના સંજયસિંહ વાળા, દોલતસિંહ જાડેજા, દિલીપભાઇ તલાવડીયાને મળેલ હકિકત આધારે – આરોપી સુનીલ શંકરભાઇ દાસ રહે.જામનગર સાઢીયાપુલ સરદારનગર મુળ વેસ્ટ બંગાળ વાળો જામનગર થી પાલનપુરની બસમાં બેસેલ હોવાની હકિકત આધારે આ શખ્સને અમદાવાદ જીલ્લાના ના બાવળા મુકામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીની પુછપરછ દરમ્યાન જામનગર સીટી સી ડીવી પોલીસ મથકની હદના ગોકુલનગર વિસ્તારમાં એક માસ દરમ્યાન બે દુકાનના શટ્ટરના તાળા તોડી, ચોરીને અંજામ આપેલની કબુલાત આપેલ છે. તદ ઉપરાંત 2018 ના સાલમા 3 ઘરફોડ ચોરીના ગુનામાં પણ ઝડપાઈ ચુક્યો હોવાની કબુલાત પોલીસને આપી છે.