Mysamachar.in:જામનગર:
જામનગર મહાનગરપાલિકા પાસે સ્વભંડોળની આવકના સ્ત્રોત મર્યાદિત છે, તેવામાં વિવિધ વેરાઓ જેમાં મિલકતવેરો, પાણી વેરો સહિતના વેરાઓ વસુલવામાં આવે છે, ત્યારે ચાલુ નાણાકીય વર્ષમાં જામનગર મનપાના ટેક્સ વિભાગે ઐતિહાસિક કહી શકાય તેવી સિદ્ધિ હાંસલ કરી છે જેને જામનગર મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ બિરદાવી હતી કમિશ્નર મોદીએ આપેલ ટેક્સ રીકવરી અંગેનું સઘન માર્ગદર્શન મેળવી આસિસ્ટન્ટ કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મળ અને ટેક્સ ઓફીસર વિજય ભાંભોર સહિતની ટીમોએ કમીશ્નરના સીધા માર્ગદર્શનમાં ટેક્સ વિભાગની ટીમોએ અથાગ પ્રયાસ કરી અને ટેક્સ રીકવરીનો આંક 100 કરોડને પાર કરવામાં સફળતા મળી તે કમિશ્નર મોદીએ અભિનંદન આપ્યા હતા.
મહત્વનું છે કે ગત નાણાકીય વર્ષે 82 કરોડની રીકવરી સામે આ વર્ષે 100 કરોડને આંબી જતા એક મહત્વનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે, કમિશ્નર ડી.એન.મોદીએ આજે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે હજુ પણ 200 કરોડ જેટલી બાકી વેરાની વસુલાત માટે આગામી દિવસોમાં મિલકતોને સીલીંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી તેવોએ કહ્યું કે સરકારી મિલકતોમાં સૌથી વધુ રેલ્વે પાસેથી વસુલાત છે જયારે રાજ્ય સરકારના જે વિભાગો પાસે સાથે સંકલન ચાલે છે તેવો દેવું આપવા તૈયાર છે.