Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકામાં સતામાં ભાજપ પક્ષ છે, વિપક્ષમાં કોંગ્રેસ છે ત્યાંરે છાશવારે વિપક્ષ નેતા સહિતના કેટલાક વિપક્ષ સભ્યો અધિકારીઓ અને પદાધિકારીઓ પર આક્ષેપો કરતા રહે છે, પણ જુજ કિસ્સાઓ પણ એવા નથી જેમાં ભ્રષ્ટાચાર કરનાર કોઈને ખુલ્લા પાડ્યા હોય, તાજેતરમાં જ વિપક્ષ નેતા આનંદ રાઠોડે પ્રી મોન્સુન કામગીરીને લઈને કેટલાક આક્ષેપો સાથેની યાદી જાહેર કર્યા બાદ તેમાં આગળ શું થયું તેની યાદી જાહેર કરી નથી કદાચ હવે કરે તો ખબર નહી, ત્યાં જ આજે આઉટ સોર્સિંગ એજન્સીઓને લઈને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના આક્ષેપો ગજવતી એક યાદી જાહેર કરી છે, પણ જો ખરેખર ભ્રષ્ટાચાર થયો હોય કે થતો હોય તો તેને પુરાવાઓ સાથે ખુલ્લા પાડી દેવા જોઈએ, પણ અત્યાર સુધી માત્ર આવેદનપત્ર સુધી સીમિત રહેતો વિપક્ષ હવે લડી જ લેવાનો છે, આ વખતે વિપક્ષ નેતા આનંદ રાઠોડે નક્કી જ કરી લીધું છે કે અધિકારી અને પદાધિકારીઓની ચેમ્બર બહાર ધરણા પર બેસી જશે અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીને જ રહેશે, અને શહેરના હિતમાં મનપાના હિતમાં તેવો કાર્ય આગળ ધપાવશે,
આજે જે મુદ્દે ફરી ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે તેના પર નજર કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકામાં જે એજન્સીઓને કામ આપેલ છે.જે આઉટ સોર્સિંગ એજન્સીઓ સરકારના નિયમ મુજબ જે પગાર આપવામાં આવતો હોય છે.તેની જગ્યાએ તે એજન્સીઓ 30 થી 35 ટકા જેવો પગાર ધોરણમાં કાપ મૂકી આઉટ સોર્સિંગ કર્મચારીઓને આપવામાં આવે છે. આઉટ સોર્સિંગ કર્મચારીઓનું મહાનગર પાલિકામાં શોષણ થઈ રહ્યું છે. વિરોધપક્ષના નેતા તરીકે જનરલ બોર્ડમાં આઉટસોર્સિંગ બાબતે મેં રજૂઆત પણ કરેલી હતી.ત્યારે મેયરના અધ્યક્ષ સ્થાને સ્ટે.કમિટીના ચેરમેન હતા.તેઓને રજૂઆત કરેલ હતી.છતાં આ બાબતમાં કોઈ જાતનો મહાનગરપાલિકાના પદાધિકારી કે અધિકારીઓ નિર્ણય લઈ શકતા નથી.તેનું કારણ મને એવું લાગે છે કે આ આઉટ સોર્સિંગ એજન્સીઓ સાથે કા તો મીલીભગત હોય કા તો આઉટ સોર્સિંગ કંપનીઓ મોટા નેતાઓ સાથે સાથ ગાંઠ હોય એવું મારું માનવું છે.
એક તો રાજ્ય સરકારે 4 થા વર્ગ અને 3 જા વર્ગ ની ગુજરાત સરકારમાં સરકારી ભરતી નાબૂદ કરેલી છે.અને આઉટસોર્સિંગ થી ગુજરાત સરકારના મહેકમમાં આઉટસોર્સિંગ થી જે સમય થી કામ આપવામાં આવે છે. તેમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે.છતાં ગુજરાત સરકાર કે મહાનગરપાલિકા કે અન્યશાખાઓમાં કોઈ જાતનું ધ્યાન દેવામાં આવતું નથી.આ આઉટસોર્સિંગમાં આ બધા શિક્ષિત લોકોનું ભયંકર શોષણ થઇ રહ્યું છે.એનું માત્ર કારણ ગુજરાત સરકાર અને એના નિયમો જ્યારે આઉટસોર્સિંગની અંદર પણ 10 કે 12 ધોરણ પાસ હોય તેને માત્ર પટ્ટાવાળા તરીકે આઉટસોર્સિંગમાં લેવામાં આવે છે.અને 9 ધોરણ પાસ ને પટ્ટાવાળા ની નોકરી પણ આપવામાં આવતી નથી.આનાથી મોટો અન્યાય શું કહેવાય..?
જામનગર મહાનગરપાલિકામાં પહેલા1 એજન્સી કામ કરતી હતી.હવે તેની જગ્યાએ 6 એજન્સીને કામ આપવામાં આવ્યું છે.એવી કઈ નીતિ માં કે વહીવટમાં ફરક પડ્યું કે એક જ વર્ક ઓર્ડરમાં 6 એજન્સીઓ ને કામ આપવામાં આવ્યું. જયારે અગાઉ તો ક્યારેય આવું ન થતું.તેનો મતલબ થાય છે કે આમાં પોતાના મળતિયાને સાચવવા માટે 6 કંપનીને સાચવવામાં આવે છે.ખરેખર આઉટ સોર્સિંગમાં જે નિયમો છે.તે નિયમો નવા બનાવેલા છે.જે ગેરવ્યાજબી છે.આવા નિયમો તો અગાઉ સરકારી નોકરીમાં પણ નહોતા.
એમાં ખાસ જામનગર મહાનગરપાલિકામાં સિક્યુરીટીના માણસોનો પણ અલગ-અલગ નિયમ હોય છે.અને તળાવની પાળના માણસોનો પણ અલગ-અલગ નિયમ હોય છે.જામનગર મહાનગરપાલિકાના આઉટ સોસિંગના મનઘડત નિયમ બનાવતા પહેલા અધિકારીઓને વિચાર થતો હોય છે કે નહિ તે પણ એક વિચારવાની વાત છે.જો આવનારા દિવસોમાં આ બધી બાબતોને ધ્યાને લેવામાં નહિ આવે તો અધિકારી પદાધિકારીની ચેમ્બરની સામે ધરણા કરવામાં આવશે તેવી ચીમકી આનંદ રાઠોડે ઉચ્ચારી હવે આ મામલે પોતે લડી જે લેશે તેવો સુર વ્યક્ત કર્યો છે ત્યારે આશા રાખીએ કે આ વખતે આનંદભાઈ આ આઉટ સોર્સિંગ એજન્સીઓમાં શું ગોટાળાઓ કોની મિલીભગતથી ચાલે છે તે ખુલ્લા પાડશે અને કર્મચારીઓ અને મનપાના હિતમાં ખરેખર પોતે કેટલા મક્કમ છે તેનો પુરાવો આપશે તેમ તેની યાદી જોતા લાગે છે.