Mysamachar.in:ગાંધીનગર:
રાજ્યના દરેક શહેરોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને સામાન્ય જીન જીવન પ્રભાવિત છે, તેવામાં મજૂરોની સ્થિતિ કેવી હશે…? વિચાર કરો… આ કારણોસર સરકાર દ્વારા મજુરોના વ્યાપક હિતમાં ઉનાળાની સિઝનમાં અતિશય ગરમીના કારણોસર લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરે 1:00 થી 4:00 ના સમયગાળા દરમ્યાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ તમામ બાંધકામ પ્રવૃતિ કરાવનાર બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ, કોન્ટ્રાકટર્સ વગેરેને બાંધકામ પ્રવૃતિ સાથે સંકળાયેલ શ્રમયોગીને આગામી એપ્રિલ- થી જૂન-2024 સુધીના સમયગાળા પૂરતો આરામ- વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવા સૂચના જાહેર કરાઈ છે,

તથા તે રીતે ફાળવેલ વિશ્રામના સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો-2003ના નિયમ-50(2) મુજબનો વિશ્રામનો સમય ગણવાનો રહેશે તેમજ નિયમ- 50(3) મુજબ આ રીતે આપવામાં આવનાર વિશ્રામના સમયગાળા સહિતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં બાર કલાક કરતાં વધે નહી તેનું ધ્યાન રાખવા આથી સૂચના આપવામાં આવે છે.નિયમનું પાલન નહિ કરતા બિલ્ડરો કે માલિક સામે શ્રમિકો 155372 હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકે છે. નિયામક ઔધોગિક સલામતી વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાનું પાલન નહિ કરનાર સામે સાઈટ સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે.
