Mysamachar.in-જામનગર:
પોલીસનું કામ ઝઘડાઓ ને શાંત પાડવાનું અને સુલેહ શાંતિ જળવાઈ રહે તેનું છે, પણ પોલીસ જ ગુન્હેગાર બની જાય તો..ધ્રોલના રઝવી સોસાયટીમાં વસવાટ કરતા આફરીદ પોપટપુત્રા નામનો યુવક ધ્રોલના ત્રિકોણબાગ નજીક આવેલ મોબાઈલની દુકાન પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે સદામ નોતિયાર નામનો શખ્સ ત્યાંથી નીકળતા બન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ સદામેં પોલીસમાં ફરજ બજાવતા દાદુભાઈ નોતિયાર અને સલીમ નોતિયારને પણ ત્યાં બોલાવેલ અને જે બાદ સમાધાનને બદલે મામલો વધુ બીચકયો હતો, અને સલીમ અને સદામે ભેગા મળીને છરીવડે આફરીદ પર જીવલેણ હુમલો કરતા હાલ તેની સારવાર ચાલી રહી છે, પોલીસે તેની ફરિયાદ પરથી પોલીસકર્મી સહીત ત્રણ શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધી તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ધ્રોલ દ્વારા શરુ કરવામાં આવી છે.