Mysamachar.in:જામનગર
વરસાદ બાદ રોગચાળો વધી રહ્યાનું સામે આવી રહ્યું છે, જામનગરની જીજી હોસ્પીટલમાં પણ છેલ્લા એક સપ્તાહથી મેડીસીન વિભાગમાં દર્દીઓની સંખ્યામાં સતત એટલે કે એક અંદાજ મુજબ સામાન્ય કરતા 20 થી 30 ટકાનો વધારો જોવા મળ્યો હોવાનું મેડીસીન વિભાગના ડો.એસ.એસ.ચેટરજી જાણાવે છે. હોસ્પિટલ ખાતે આવી રહેલ દર્દીઓ પૈકીના શરદી ઉધરસ તાવ અને ઝાડા ઉલટીના કેસોના દર્દીઓની સંખ્યા વધુ છે. દર્દીઓનો વધી રહેલ સંખ્યાને કારણે જીજી હોસ્પીટલની કેસ બારી, દવા બારી અને મેડીસીન વિભાગની ઓપીડી દર્દીઓથી ઉભરાઈ રહી છે.
ચોમાસાની આ ઋતુમાં બહારની ચીજવસ્તુઓ ખાવા પીવાની ટેવ ઉપરાંત મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યું મેલેરિયા પણ વધી રહ્યા છે. એક સપ્તાહ પહેલા જામનગર જીજી હોસ્પીટલમાં મેડીસીન વિભાગની જે ઓપીડી 300 કે 350 દર્દીઓની હતી તે આજની સ્થિતિએ 600 સુધી પહોચી ગઈ છે. આ તો સરકારી હોસ્પીટલની વાત છે આ સિવાય ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા પણ મોટી છે. ત્યારે લોકોએ પણ સાવચેત થઇ બહારના ખાવાપીવાનું ટાળવા સાથે મચ્છરજન્ય રોગથી બચવાના શક્ય ઉપાયો કરવા જોઈએ તેમ પણ નિષ્ણાંત તબીબ સલાહ આપે છે.