Mysamachar.in:જામનગર
જામનગરમાં વનપ્લસ બ્રાંડના સ્માર્ટ એક્સપીરીયન્સ સ્ટોરનો ભવ્ય શુભારંભ થયો છે. પી.એન. માર્ગ પર નિયો સ્ક્વેર બિલ્ડીંગમાં ઓપન થયેલ આ સ્ટોરમાં વનપ્લસના તમામ પ્રીમીયમ અને ફ્લેગશીપ સ્માર્ટફોન તેમજ સ્માર્ટટીવી થતા ગેજેટ્સ લાઈવ એક્સપીરીયન્સ સાથે ઉપલબ્ધ રહેશે. આધુનિકતાથી સભર આ સ્ટોરમાં વનપ્લસ બ્રાંડની એક્સક્લુઝિવ ઓફર્સનો સીધો લાભ હવે જામનગરવાસીઓને પણ મળી રહશે.
આ તકે વનપ્લસ ગુજરાતના બીઝનેસ હેડ સંજીવ કુબાવતે જણાવ્યું હતું કે “વર્ષોથી જામનગરનું માર્કેટ રીટેલ વ્યવસાય સેન્ટ્રીક રહ્યું છે, જામનગરમાં ઓપન થયેલ વન્પ્લસ એક્સપીરીયન્સ સ્ટોર લોકોને ખુબ પસંદ આવશે. વનપ્લસ દ્વારા હમેશાથી ગ્રાહક અનુભવ પર પ્રાથમિક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જામનગરના આ સ્ટોરમાં પણ ગ્રાહકોને શ્રેષ્ઠ વનપ્લસ પ્રોડક્ટનો અનુભવ, બેસ્ટ અને એક્સક્લુઝિવ ઓફર્સ સાથે મળી રહેશે.”
મોબાઈલ ફોન રીટેલ વ્યવસાયમાં વર્ષોથી વિખ્યાત એવા પુજારા ટેલીકોમ ગ્રુપ દ્વારા વનપ્લસ એક્સપીરીયન્સ સ્ટોર ઓપન કરવામાં આવ્યો છે, આ તકે પુજારા ગ્રુપ – ડાયરેક્ટર નીતિન ઓઝા BDM કેવલ અમલાણી સમદ સાટી કમલેશ ઓઝા oppo zm રેગન કેસ્ટેલી, દર્શન ઠક્કર, ઉપસ્થિત રહ્યાં હતાં