Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં પાંચહાટડી ચોકથી ભોંયવાડા તરફ જતા રોડ પર કોઇ અજાણ્યા ઇસમોએ હિન્દુ ધર્મની લાગણી દુભાઇ તે રીતે શ્રી નરસિંહાનંદ મહારાજનું પોસ્ટર ચોટાડી પોસ્ટરમાં “ગુસ્તાન કી એક સઝા સર તન સે જુદા” તેમજ ફોટાની નીચેના ભાગે “હરામ કી પૈદાઇશ ગુસ્તાખ આતંકવાદી નરસિંહા નંદ” લખી ઇરાદા પુર્વક હિન્દુ સમાજની લાગણી દુભાઇ તેમજ જુદા જુદા સમુદાયમાં દુશ્મનાવટ થાય તેવું કૃત્ય કરેલ હોય જે અંગે તા.21/04/2021 ના રોજ સીટી એ ડીવી પોલીસમથકમાં ઇપીકો કલમ 153(ક), 295(ક) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ જે બાદ આવું કૃત્ય કરનારને શોધી કાઢવા પોલીસ ઇન્સપેકટર એમ.જે.જલુના માર્ગદર્શન મુજબ સીટી એ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના માણસો એ કાલાવડ નાકા બહાર પાંચહાટડી ચોકથી ભોંયવાડા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી અલગ અલગ દુકાનો તેમજ હોટલના સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરી.
તેમા આ પોસ્ટર લગાવતા ઇસમોની હાજરી જણાતા તે ઇસમોને આજુ બાજુની દુકાનોમાં તેમજ ત્યાં હાજર ઇસમોને બતાવતા આરોપીઓની ઓળખ થયેલ તે પૈકી આરોપીઓ સાકીર રફીકભાઇ ખીલજી ઉવ.22 ધંધો. બેનર પ્રેસનો રહે. કાલાવડ નાકા બહાર તથા મીતાક સૈયદબીનભાઇ અઝરમી ઉવ.28 ધંધો. ઇલેક્ટ્રીકનો રહે. કાલાવડ નાકા બહાર ગુજરાતીવાડ ને ગુન્હાના કામે હસ્તગત કરી કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ તથા અન્ય કાયદાથી સંઘર્ષિત કિશોરો વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે.