Mysamachar.in:જામનગર
જામનગર પોલીસને ફરિયાદ લેવામાં રસ નથી તેવો ઘાટ ઘડાયો હોય તેમ લાગે છે. સ્થાનિક પોલીસથી માંડીને ઉચ્ચકક્ષાએ રજૂઆત છતાં પોલીસ ફરિયાદ ના લેતા એક યુવકના આપઘાતનો મામલે કોર્ટમાં ફરિયાદ થતા હવે ફરિયાદ ના લેનાર પોલીસ પર શું કાર્યવાહી થશે તે તેઓ આવનાર સમય જ બતાવશે…
આ કેસની સામે આવેલ વિગતો એવી છે કે, જામનગ૨ ખાતે લાલવાડીમાં વસવાટ કરતા માલાબેન પરેશભાઈ ઝાલાના પુત્ર શ્યામ ઝાલા કે, જેઓ સી.એ.નો અભ્યાસ કરતા હોય, તેમને પોતાના ઘરે ગત તા.29/05/2023ના રોજ ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ, ત્યારબાદ જ્ઞાતીના રીતી રીવાજ પુર્ણ થઈ ગયેલ હોય, ત્યારબાદ બીજા પુત્ર જય ઝાલા દ્વારા તેમના માતાને શ્યામે થોડો સમય પહેલા વાત કરેલી હતી કે, વાલ્કેશ્વરી નગરીમાં રહેતી એક સહઅભ્યાસુ વિધાર્થીની સાથે મિત્રતા હતી અને તે મિત્રતા વિધાર્થીનીના પિતાને પસંદ ન હતી, તેઓ અવાર નવા૨ ધમકી આપતા હતા અને છ સાત માસ પહેલા પિતા પુત્રી ઘરે આવેલા હતા અને ખોટા કેસમાં ફી કરવાની ધમકીઓ આપેલી હતી, અને આ વિધાર્થીની વારંવાર શ્યામને ફોન કરતી, તેવી વાત ક૨તા મરણજનારનો ફોન ચેક ક૨તા આ વિધાર્થીનીના અનેક ફોન આવેલા હોવાની હકિકતો સામે આવેલ,
જેથી ગુજ૨ના૨ની માતા દ્વારા સીટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એવી હકિકત વાળી ફરીયાદ અરજી વિધાર્થીની પીનલ ચીંતલભાઈ વોરા અને ચીંતલભાઈ વોરા સામે પુત્રને આત્મહત્યા કરવા મજબુર કર્યા અંગેની આપેલી. પરંતુ તેમ છતાં તે અંગે પોલીસ ધ્વારા કોઈ એફ.આઈ.આર. ન નોંધતા ત્યારબાદ આ ફરીયાદ અરજી ગુજ૨ના૨ની માતા માલાબેન પરેશભાઈ ઝાલાએ પોલીસ અધિક્ષકને તથા મુખ્યમંત્રીને તથા ગૃહમંત્રીને આઈ.જી.ને તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેમના પુત્રને આ પ્રકારે મૃત્યુ માટે મરવા મજબુર કરવા સંબંધેની એફ.આઈ.આર. પિતા પુત્રી સામે દાખલ કરી અને ન્યાય અપાવવા રજુઆતો કરેલ,
પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા આ પિતા પુત્રી સામે કોઈ એફ.આઈ.આર. ન નોંધાતા, ગુજરનાર ના માતા દ્વારા જામનગર ચીફ જ્યુડીશ્યલ મેજી. કોર્ટમાં ચીંતલભાઈ વોરા તથા તેમની પુત્રી પીનલ ચીંતલભાઈ વોરા રહે.વાલ્કેશ્વરી જામનગર વાળાઓ સામે તેમના પુત્રને આત્મહત્યા કરવા મજબુર કરવા અંગે એફ.આઈ.આર. નોંધવા માટે ફરીયાદ દાખલ કરેલ, જે ફરીયાદ અન્વયે ચીફ કોર્ટ દ્વારા ફરીયાદીની લેખિત ફરીયાદ અંગે પોલીસ દ્વારા શું કાર્યવાહીઓ કરવામાં આવેલ ? તે અંગે રીપોર્ટ મંગાવવાનો હુકમ કરેલ છે, આ કેસમાં ગુજરનારના માતા ફરીયાદી માલાબેન પરેશભાઈ ઝાલા તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા તથા નિતેષ મુછડીયા રોકાયેલા છે.