Mysamachar.in:જામનગર
ભારે વરસાદ અને વાવાઝોડાની કે પરિસ્થિતિ હોય ત્યારે રાજ્યના દરિયાકાંઠાના વિવિધ બંદરો અપર અલગ અલગ નંબરના સિગ્નલો લગાવવામાં આવતા હોય છે, આવા સિગ્નલોનો અર્થ શું તે સામાન્ય લોકોને મન ઘણીવાર પ્રશ્ન થતો હોય છે, ક્યા નંબરનું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે. અને ક્યા સિગ્નલનો શું અર્થ હોય છે. ખુબ રસપ્રદ છે આ માહિતી. હાલ ગુજરાત પર સંભવિત બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિમાં દરિયા પર બદલાતી પરિસ્થિતિ મુજબ અલગ અલગ સિગ્નલ લગાવીને સુચના આપવામાં આવી રહી છે. ત્યારે સિગ્નલનો શું અર્થ હોય છે, હાલ જામનગરના બંદરો પર બે નંબરનું સિગ્નલ જોવા મળી રહ્યું છે.
1 નંબરનું સિગ્નલ વાવાઝોડાની ચેતવણી આપતું હોય છે.
2 નંબરનું સિગ્નલ વાવાઝોડું સક્રિય થતાં માછીમારોને દરિયામાં વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે તે સૂચિત કરે છે.
3 નંબરનું સિગ્નલ સપાટીવાળી હવાને પગલે બંદર પર ભય દેખાડે છે.
4 નંબરનું સિગ્નલ બંદર ભયમાં છે એવું પરંતુ સાવચેતીનાં પગલા લેવા પડે એટલો ભય જણાઇ રહ્યો નથી.
5 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું દક્ષિણના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવા ફૂંકાવાનો સંકેત આપે છે.
6 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું ઉત્તરના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવાના અનુભવનો સંકેત આપે છે.
7 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું બંદર ઉપરથી પસાર થાય અને ભારે તોફાની પવન ચાલી શકે છે.
8 નંબરનું સિગ્નલ ભારે વાવાઝોડું બંદરને ક્રોસ કરી શકે જેથી તોફાની હવાના સંકેતો આપે છે.
9 નંબરનું સિગ્નલ જોરદાર વાવાઝોડું ઉત્તર દિશાથી કિનારો ક્રોસ કરીને બંદર ઉપર તોફાની હવાનો અનુભવ કરાવે ત્યારે લગાડવામાં આવે છે.
10 નંબરનું સિગ્નલ ભારે જોરવાળું વાવાઝોડું બંદરની ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે.
11 નંબરનું સિગ્નલ ખુબ ખરાબ હવામાનનો અનુભવ, અત્યંત ભયજનક ગણાય.
સિગ્નલ નંબર 12 જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે.