Mysamachar.in:દિલ્હી:
કોઈ પણ યુવક યુવતિએ કોઈ પણ રીતે લગ્ન કરી લીધાં હોય પરંતુ જો તેમણે અગ્નિ સાક્ષીએ સાત ફેરા ન ફર્યા હોય એટલે કે, સપ્તપદીની રસમ કરવામાં આવી ન હોય તો, હિંદુ વિવાહ અધિનિયમ-1955 મુજબ, આ પ્રકારના લગ્ન નોંધણી થયેલાં હોય તો પણ રદ્દ થઈ શકે છે, આ મતલબનો એક ચુકાદો સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે આપ્યો છે. આ ચુકાદાની મોટી અસરો ઉદભવી શકે છે.
સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ બી. નાગરત્નાના વડપણ હેઠળની ખંડપીઠે એક ચુકાદામાં જણાવ્યું છે, હિંદુ લગ્ન માત્ર જલસો નથી, માત્ર ખાણીપીણીની પાર્ટી નથી, માત્ર દાન દહેજનો મામલો નથી, આ એક સંસ્કાર છે, જવાબદારીઓ છે. જો લગ્ન કરનાર યુવક યુવતિએ અગ્નિની સાક્ષીએ સાત ફેરા લીધાં ન હોય તો, ચોક્કસ પ્રકારના કાયદાકીય સંજોગોમાં આ પ્રકારના લગ્ન નોંધાયેલા હોય તો પણ રદ્દ થઈ શકે છે.
(પ્રતિકાત્મક તસ્વીર સૌજન્ય ગુગલ)