Mysamachar.in-ગાંધીનગરઃ
ગાંધીનગરથી ઉર્જામંત્રી સૌરભ પટેલે પત્રકાર પરિષદ યોજી ખેડૂતો માટે બે મહત્વની જાહેરાત કરી છે. જેમાં સૌપ્રથમ જણાવ્યું કે ખેડૂતો કરારિત વીજભાર કરતા વધારાના વીજભારને નિયમિત કરી શકશે. હોર્સ પાવર આધારિત ખેડૂતોને લાભ થશે. વીજ લોડની ચકાસણી થતી હતી ત્યારે વીજ લોર્ડ વધારે આવતો હતો. વીજ લોડ વધારે આવતા ખેડૂતોને પેનલ્ટી ભરવી પડતી હતી. ચેકિંગ દરમિયાન તાત્કાલિક પુરવણી બીલ આપવામાં નહી આવે. જ્યારે બીજી જાહેરાતમાં સૌરભ પટેલે જણાવ્યું કે ખેડૂતોને દિવસે વીજળી આપવા મુદ્દે સરકાર વિચારણા કરી રહી છે. અને દિવસે વીજળી આપવી હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા પડી શકે છે. નવા વીજ સ્ટેશન અને સબ સ્ટેશન ઉભા કરવા પડે. અને નવી વીજલાઈન નાખવી પડી શકે છે. છેલ્લા કેટલાક સમયથી રાતે જ વીજળી આપવામાં આવતી હોવાથી ખેડૂતો નારાજ હતા, રાતે વીજળી મળવાથી શિયાળાની કડકડતી ઠંડી હોવા છતા રાતે ખેડૂતોએ પિયત કરવા ખેતરે જવું પડતું હોય છે, તો કેટલાક ગામોની સીમમાં જંગલી પશુઓનો ડર રહેતો. જો દિવસે વીજળી આપવામાં આવે તો ખેડૂતોને સૌથી વધુ ફાયદો થઇ શકે છે.