Mysamachar.in-જામનગર:
જામનગર સહિતના પંથકમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા નિવેદન મામલે ભાજપાના કાર્યક્રમનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વિરોધના તમામ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ દ્વારા ‘રૂપાલા હાય હાય’ અને ‘જય ભવાની, ભાજપ જવાની’ એવા નારા લગાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારના વિરોધ કાર્યક્રમના ભાગરૂપે કાલે શુક્રવારે જામનગર શહેરના વોર્ડ નંબર 4 માં ભાજપાના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે નવાગામ ઘેડ વિસ્તારમાં ગાયત્રી ચોક ખાતે ક્ષત્રિય સમાજના યુવાનોએ અને મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખુરશીઓ ઉંધી વાળી દીધી હતી. અને નારા લગાવવામાં આવ્યા હતાં તો ભાજપાનું બેનર પણ ફાડી નાંખવામાં આવતાં આ કાર્યક્રમ અંતે મોકૂફ રહ્યો. સ્થળ પર હાજર રહેલ પોલીસે મામલો થાળે પાડ્યો હતો.