Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામે કોઈ જંગલી પ્રાણીએ હુમલો કરતા 80 જેટલા ઘેટાં બકરાના મોત થયાની ઘટના સામે આવી છે, નાની ભગેડી ગામના પશુપાલક ટપુભાઈએ ઘેટાં બકરા રાખેલ હતા ત્યાં મોડી રાતે જંગલી પ્રાણીએ હુમલો કરી મારણ કરેલ હોવાનું તેમનું કહેવું છે, અચાનકથી જ હુમલો થતા ઘેટાં ભડકી ગયા જેથી નાસભાગ મચી ગઇ હતી જેમાં 115 ઘેટાં બકરા હતા તેમાંથી 80 જેટલા ઘેટા બકરાના મોત થયા તો મૃત ઘેટાં બકરાની કિંમત આશરે 6 લાખ થી વધુ માનવામાં આવે છે, તો એકીસાથે આટલા ઘેટા બકરાના મોત થતા ભરવાડ પરિવાર પર આભ ફાટયા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.