Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સાપ્તાહિક કામગીરીનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ વિસ્તારમાંમાંથી કુલ 15 જેટલા ખાદ્ય પદાર્થ સર્વેલન્સના નમુના લઇ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે, તો શહેરના અલગ-અલગ વિસ્તાર આવેલ માં ફાસ્ટફૂડ, હોટલ-રેસ્ટોરન્ટ માં મહાનગરપાલિકાના એફ.એસ.ઓ.એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી, ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા, ખાદ્ય સામગ્રીમાં લેબલ પ્રોવિજનનું પાલન કરવા, વાસી ખોરાક ન રાખવો, તેમજ ફ્રીઝ ની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, રસોડાની યોગ્ય સફાઈ કરવી, વગેરે બાબત અંગે તાકીદ કરવામાં આવ્યા હતા.
મેયરની સુચના અનુસાર ખાટકીવાડ વિસ્તારની ફરીયાદ અન્વયે ઈસ્માઈલ હાજીભાઈ ગઢવારા (ઈંડાશોપ)-પટણી વાડ, સબ્બીરભાઈ કટારીયા મીટશોપ-ખાટકીવાડ, ફારૂક હાજી ઉસ્માન મીટ શોપ-ખાટકીવાડ નામની 3 જેટલી શોપ વગર લાયસન્સ ની જણાતા વેચાણ બંધ કરાવી લાયસન્સ મેળવી લેવા અંગેની નોટીસ આપવામાં આવી છે, પટેલ કોલોની વિસ્તારમાં આવેલ પાંડેજી પાર્સલ પોઈન્ટ નામની પેઢીમાં મન્ચુરીયન, નૂડલ્સ, બોઈલ બટેટા, ભાત મળી કુલ 3 કિલો જેટલું સ્થળ પર નાશ ઉપરાંત પટેલ કોલીની વિસ્તારમાં આવેલ ભવાની પાઉંભાજીમાંથી 2 કિલો ભાજી વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે. પટેલ કોલોની વિસ્તારમાં આવેલ 4-ટીન રેસ્ટોરન્ટમાંથી ખીચડી, બોઈલ વેજીટેબલ પાઉંભાજી, દાળ, બટેટા, પોપટા વગેરે મળી કુલ 5 કિલો સ્થળ પર નાશ કરાવેલ છે. ડે.મેયરની ફરીયાદ અન્વયે સંકલ્પ રેસ્ટોરન્ટ રૂબરૂ ઇન્સ્પેક્શન કરી નોટીસ પાઠવેલ તેમજ પેસ્ટ્રીસાઇઝ કરાવી દીવસ 3 માં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે.