Mysamachar.in:જામનગર
જામનગરનું જુનું રેલ્વે સ્ટેશન તો વર્ષોથી બંધ થઇ ગયું પણ આ રેલ્વે સ્ટેશન બંધ થયા બાદ કરોડો રૂપિયાની આ કીમતી જમીન આવારા તત્વોનો અડો બની ગયો હતો, અને દેશીદારુના હાટડા અહી ખુલેઆમ ધમધમતા હતા અને કેટલીય વાર સ્થાનિક પ્રશાસન તો કેટલીય વાર રેલ્વે દ્વારા અહીંથી ઝૂપડપટ્ટીઓ દુર કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળતું નહોતું.
એવામાં ગુજરાત પર જે રીતે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે તેને જોતા આ રેલ્વે સ્ટેશન જોખમી બની શકે તેવું મનપા કમિશ્નર ડી.એન.મોદીને ધ્યાને આવતા મ્યુ.કમિશનરની સુચનાથી નાયબ કમિશ્નર બી.એન.જાનીએ આ અંગે રેલ્વે વિભાગના આસિસ્ટન્ટ ડીવીઝનલ ઈજનેરને આ અંગે પત્ર લખવામાં આવતા મનપાના પત્રનો તુરત જ એટલે કે કલાકોમાં જ પ્રત્યુતર મળતા મનપા દ્વારા રેલ્વે વિભાગના અધિકારીઓ, આરપીએફ સહિતની સાથે રાખી આજે જુના રેલ્વે સ્ટેશન પર બુલડોઝર ફેરવી દેવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. અને કલાકોમાં આ જુનું રેલ્વે સ્ટેશનનું જર્જરિત સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યા બાદ આ જગ્યા પર રેલ્વે દ્વારા ફેન્સીંગ કરવામાં આવશે.