Mysamachar.in-જામનગર
જામનગરમા હાલ ગેરકાયદેસર બાંધકામો નો મામલો ગરમાયો છે, તેમાય કોર્પોરેશને રેલવે બી સાઇડીંગ પાસે ગેરકાયદેસર દુકાનોની હારમાળા અંતે તોડવી પડી માટે હવે ગેરકાયદેસર બાંધકામો સામે આંગળી ચીંધવાવાળા જાગૃત થયા છે, તેમાય જનરલ બોર્ડમા ઇન્ચાર્જ મેયરે ગેરકાયદેસર બાંધકામ તોડવા બાબતે મક્કમતા વ્યક્ત કરતા તેના ઘેરા પડઘા પડી રહ્યા છે, અને અનેક અર્થઘટન પણ થઇ રહયા છે કે હવે ખરેખર બધા ગેરકાયદેસર બાંધકામ તોડી પડાશે કે શુ.?
ગત જનરલ બોર્ડમા મેયર હસમુખ જેઠવા કોઇ કારણસર રજા પર હોવાથી ડેપ્યુટી મેયર કરશન કરમુર એ બોર્ડનુ અધ્યક્ષ સ્થાન સંભાળ્યુ હતુ તેમજ જુદા-જુદા પ્રશ્ર્ને જવાબ પણ આપ્યા હતા તેમજ માધ્યમોને વિગતે ઇન્ટરવ્યુ પણ આપ્યો હતો, તે દરમ્યાન એક પ્રશ્નના ઉતરમા કરશનભાઇએ હિંમતથી જણાવ્યુ હતુ કે ગેરકાયદેસર બાંધકામ કોઇપણ ચમરબંધીનુ હશે તે પણ તોડવામા આવશે તેમાય નગરના એન્ટ્રી પોઇન્ટ જેવા વિસ્તાર જેમકે ખંભાળીયા રોડ રાજકોટ રોડ લાલપુર રોડ વગેરે પરના ગેરકાયદેસર બાંધકામ તોડાશે તેમ હિમતથી જણાવ્યુ અને ઉમેર્યુ કે જાહેર રોડ પરના ગેરકાદેસર બાંધકામ તો તુટશે જ તેવુ ભાર દઇ જણાવ્યુ છે,
આ નિવેદન અધ્યક્ષ તરીકે આપ્યુ હોઇ ખુબ મહત્વનુ છે અને ગેરકાયદેસર બાંધકામ ખડકી કોક કોક ને સાચવી લેનારાઓ ફફડી ઉઠ્યા છે આવા બાંધકામને શેહ દેનારામા પણ હડકંપ મચ્યો છે કેમકે ઇન્ચાર્જ મેયર માત્ર બોલવા ખાતર નથી બોલ્યા તેવો શાસક પક્ષનુ વલણ દર્શાવે છે કે ભલે ટર્મ પુરી થવાની હોય તો શુ નગરની સુંદરતા બગાડતા આવા અનઅધીકૃત માચડા પાડ્યે જ પાર છે તેવો મક્કમ ઇરાદો તેમના ચહેરા ઉપર છલકતો હતો માટે જ શહેરમા ચર્ચા છે કે કોના-કોના પડશે?? બચશે તો કોના કોના બચશે??