Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યની સાથે- સાથે જામનગરમાં પણ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.વિવિધ સમાજો અને આગેવાનો દ્વારા રાજકીય પક્ષો સમક્ષ ચૂંટણીની ટિકિટ માટે દાવેદારીઓ થઈ રહી છે. કાલે ગુરુવારે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તકે 79-જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક માટે પણ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતાં. આ તકે સર્વ સમાજમાં જાણીતું નામ અને પ્રજાપતિ સમાજ, બ્રહ્મસમાજ તથા ઓબીસી સમાજ સાથે ગાઢ રીતે સંકળાયેલા અગ્રણી ગિરીશભાઈ અમેથિયાએ પણ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી ટેકેદારો સાથે રજૂ કરી ત્યારે નિરીક્ષકોએ પણ તેમને ધ્યાનથી સાંભળ્યા હતા,
ગિરીશભાઈ અમેથિયા અત્યાર સુધીમાં જાહેર જીવનમાં હંમેશા સક્રિય રહ્યા છે. તાજેતરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી શ્રી વિશ્વકર્મા મંદિર જ્ઞાતિની વાડી ખાતે પ્રજાપતિ સમાજ, બ્રહ્મદેવ સમાજ તથા વિશ્વકર્મા મહાસંઘના આગેવાનોની ચૂંટણીલક્ષી બેઠક યોજવામાં આવી હતી જેમાં એવો નિર્ણય થયો હતો કે, આ તમામ સમાજો પક્ષની તરફેણમાં એકતરફી મતદાન કરતાં આવ્યા છે અને ત્રણમાંથી કોઈ પણ સમાજને ભાજપા દ્વારા ટિકીટ આપવામાં આવશે તો આ તમામ ત્રણેય સમાજ પક્ષની તરફેણમાં વનસાઈડ મતદાન કરશે. આમ ગીરીશભાઈ અમેથીયા જામનગર દક્ષીણ બેઠકને લઈને સૌથી મજબુત દાવેદાર તરીકે દિવસે ને દિવસે ઉભરી રહ્યાનું શહેરભરમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.