Mysamachar.in-જામનગર:
છેલ્લા કેટલાક વર્ષોથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓછા માર્ક, નાપાસ અથવા તો પરીક્ષાના ટેન્શનમાં આપઘાત કરી લેતા હોવાના બનાવો સામે આવતા રહે છે ભારે ચિંતાજનક છે, ખરેખર તો વિદ્યાર્થીઓએ ડર રાખ્યા વગર વાલીઓ, પરિવારના સભ્યો, નજીકના મિત્રો સાથે આ અંગે ખુલ્લા મને વાતચીત કરી અને ટેન્શનમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય તે રસ્તો કરવો જોઈએ ના કે આપઘાતનો અંતિમ રસ્તો….
જામનગર જીલ્લામાં આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેની પોલીસ ચોપડે જાહેર થયેલ વિગતોમાં જણાવવામાં આવ્યું છે કે કાલાવડ શહેરના પંજેતનનગરમાં વસવાટ કરતી રિયા યુનુશશા શાહમદાર નામની 18 વર્ષીય વિદ્યાર્થીની જે કોલેજમાં અભ્યાસ કરતી હોય અને બે દિવસ પછી તેની પરીક્ષા હોય અને તેની તૈયારી કરતી હોય જે પરીક્ષાના ટેન્શનના કારણે પોતાની મેળે ઘરે દુપટ્ટાથી પંખા સાથે ગળેફાંસો ખાઈ તેને સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેણીને મૃત જાહેર કરવામાં આવી છે.
(અહી મુકવામાં આવેલ તસ્વીર પ્રતિકાત્મક છે)