Mysamachar.in:જામનગર
જામનગરના મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડી અલગ અલગ સાઈટોની વિઝીટ સમયાંતરે કરતા રહે છે અને લગત વિભાગોને જરૂરી સૂચનાઓ કરતા રહે છે, જેનાથી ચાલી રહેલા કામો પર સીધી જ અસરો જોવા મળતી હોય છે, ગતરોજ પણ કમિશનરે શહેરના અલગ અલગ પ્રકલ્પોની સાઈટ વિઝીટ કરી હતી, જેમાં સૌ પ્રથમ ગોલ્ડન સીટી પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતની EWS– 2 544 આવાસ યોજનાના ચાલી રહેલા બાંધકામની મુલાકાત લેવામાં આવેલ અને બાંધકામ સમયમર્યાદામાં ટેન્ડરની શરતો મુજબની ગુણવતા સાથે પૂર્ણ થાય તે રીતનું આયોજન કરવા સુચન કરેલ છે.
ત્યાર બાદ સોનલનગર વિસ્તારમાં આવેલ ઢોરવાડાની મુલાકાત લેવામાં આવેલ અને લગત તબીબી સેવાના સ્ટાફને નિયમિત રીતે ઢોરવાડામાં રાખવામાં આવેલ ગાયોનું હેલ્થ ચેકઅપ તથા નિયમિત પીવાનુંપાણી તથા ઘાસચારો મળી રહે તેની ચકાસણી કરવા સૂચન કરેલ તેમજ આગામી ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને 2-3 જગ્યાએ છાયડો મળે તે રીતે ટેમ્પરરી સેડ ઉભા કરવા સૂચન કરેલ છે ત્યાર બાદ બેડી વિસ્તારમાં આવેલ શેલ્ટરહોમની મુલાકાત લેવામાં આવેલ અને તેમાં આશ્રય લઇ રહેલા લોકો સાથે સંવાદ કરીને આપવામાં આવેલ સગવડો તથા સ્વચ્છતા જાળવી રાખવા સૂચન કરેલ છે અને આઉટસોર્સિંગ એજન્સીને પણ નિયમિત રીતે શેલ્ટરની અંદર તથા બહાર સફાઈ જાળવવા અને આશ્રયલઈ રહેલા લોકોને મુશ્કેલી ન પડે તે રીતે મોડેલ શેલ્ટર હોમ બનાવવા સુચના આપેલ છે.
ત્યાર બાદ બેડી વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતની વીર સાવરકર આવાસ યોજનાની મુલાકાત લેવામાં આવેલ જેમાં ગાર્ડન એરિયામાં કાળી માટીનું લેયર કરીને તેમજ વ્રુક્ષોને સમાંતર કર્બીંગ કરીને વ્યવસ્થિત જાળવણી કરવા એજન્સીને સૂચન કરેલ છે અને સદરહુ આવાસ યોજનાની લોકાર્પણ તથા EWS–2 544 આવાસોનું કોમ્પ્યુટરરાઈઝડ ડ્રો ટૂંક સમયમાં કરી શકાય તે રીતનું આયોજન કરવા નાયબ ઈજનેર સ્લમ શાખાને સુચના આપેલ છે. કમિશ્નર સાથે આ સૈતોની વિઝીટ વખતે મુલાકાતમાં નાયબ કમિશ્નર ભાવેશભાઈ જાની, કાર્યપાલક ઈજનેર મુકેશ વર્ણવા, સ્લમ શાખાના નાયબ ઈજનેર અશોક જોશી તથા સ્લમ શાખાના લગત સાઈટ એન્જીનીયર, PMC તથા એજન્સીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.