Mysamachar.in-જામનગર:
કૃષિ મંત્રી રાધવજી પટેલે જામનગર જિલ્લાના નાગરિકો માટે જામનગરની એસ.ટી નિગમની સેવાઓ અંગે મળેલ રજૂઆતો સંદર્ભે એસ.ટી.નિગમના અધિકારીઓને સૂચનાઓ આપી બરા સેવાઓને લગતા પ્રશ્નોનું સત્વરે નિકાલ કરી સેવાઓ પૂર્વવત કરી છે, જામનગર વિભાગની તમામ લોકલ બસ ઇન્ટરસીટીના બોર્ડ લગાવીને ચાલે છે એ સંદર્ભે લોકલ રૂટમાં લોકલ બોર્ડ પ્રસીધ્ધ કરી સંચાલન કરવામાં આવે જ છે આમ છતાં વિભાગના તમામ ડેપો મેનેજરને ફરીથી સુચના આપવામાં આવી છે.તેમજ રાજકોટ વિભાગ દ્વારા સંચાલિત થતી લોકલ સર્વિસ અંગે વિભાગીય નિયામક રાજકોટને સૂચનાઓ આપી દેવાઇ છે.
એજ રીતે અલીયા ગામે સવારે જે નાની બસ આવે છે.તેના બદલે મોટી બસ ફાળવવા માટે પણ ડેપો મેનેજર જામનગરને મોટી બસ ફાળવવા સુચના આપવામાં આવી છે. શેખપાટ વાળી જે બસ સવારે જે શેખપાટથી આવે છે, તે વળતા ધુવાવના વિદ્યાર્થીઓને લેતા નથી તે અંગે પણ વ્યવસ્થા ગોઠવવા સુચના આપવામાં આવી છે .જામનગર બજરંગપુર વાયા પસાયા જુનો રૂટનું સંચાલન હાલ કાર્યરત જ છે. ખંભાળિયા તરફથી તમામ લોકલ સર્વિસોને ગાગવાધારના પાટિયા ખાતે સ્ટોપ પણ આપી દેવાયુ છે.તેમજ અમલવારી અંગે ડેપો મેનેજર જામનગર, ખંભાળિયા, દ્વારકાને સુચના આપવામાં આવી છે.ધ્રોલ ડેપોની નેસડા નાઈટ બસ ડેપો મેનેજર ધ્રોલને કહેવા છતાં ચાલુ કરેલ નથી એ માટે સર્વિસ ચાલુ કરવાની સુચના આપવામાં આવી છે.
કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામે એકપણ બસ આવતી નથી એ અંગે પણ રાજકોટ વિભાગને જાણ કરાઈ છે.તેઓ દ્વારા ટૂંક સમયમાં બસ સેવા ચાલુ કરવામાં આવશે .જામનગર – જખો વાયા સચાણા બરાને સચાણા ગામ સુધી લંબાવવા અંગે રૂટનો સર્વે કરી નિર્ણય લેવામાં આવશે.જામનગર થી લોઢીયા વાયા દરેડ, ચેલા, ચંગા, ચંદ્રગઢ, ખોજાબેરાજા આ બસ જૂની હતી તે ચાલુ કરવા માટે રજૂઆત હતી પરંતુ આ શીડ્યુલ નું નિયમિત સંચાલન કરવામાં આવે છે. જામનગર થી છતર, ચેલા, બેડી 14:45 વાળી બસ બંધ અંગે તેમજ જામખંભાળિયા, કાલાવડ, મુળીલાનો જુનો રૂટ ચાલુ કરવો જે સંદર્ભે ડ્રાઈવર-કન્ડકટરની ઘટ ના કારણે કંટ્રોલ કરવામાં આવી છે. હાલ ડ્રાઈવર-કંડકટરની ભરતી પ્રક્રિયા ચાલુ હોય પોસ્ટીંગ થયે તાત્કાલિક ચાલુ કરવામાં આવશે. ખંભાળિયા-મોરબી વાયા ભાદરા પાટિયા, હડિયાણા, રામપર જુનો બસ રૂટ ચાલુ કરાવવા રજૂઆત, છે પરંતુ હાલમાં આ રૂટનું નિયમિત સંચાલન કાર્યરત જ છે.