Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં વ્યાજખોરીનું દુષણ કેટલું અને કેવું છે તેના દાખલાઓ સમયાંતરે સામે આવતા રહે છે, અમુકમાં પોલીસ ફરિયાદ થાય છે અમુકમાં નથી થતી આ તમામ વચ્ચે જામનગરમાં મહિલાઓ પણ વ્યાજવટાવના વ્યવસાયમાં સક્રિય થઇ અને વ્યાજે રૂપિયા આપ્યા બાદ સામેવાળાને ધાકધમકીઓ આપતી હોવાની એક ફરિયાદ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે,
સી ડીવીઝન પોલીસ ચોપડે નોંધાયેલા વિગતો મુજબ દિગ્જામ મિલ પાછળ ડીફેન્સ કોલોનીમાં રહેતા અને શીપીંગ કંપનીમાં નોકરી કરતા હિરેન જમનભાઈ ઘાડિયા નામના વ્યક્તિએ રેખાબેન પાસેથી છ સાત વર્ષ પહેલા અઢી લાખ રૂપીયા વ્યાજે લીધેલ, શીલાબેન પાસેથી દોઢ લાખ રૂપીયા, તેમજ કિરણબેન પાસેથી એક લાખ રૂપીયા, નારૂભા પાસેથી એંસી હજાર રૂપીયા તેમજ ચરણજીતસિંહ પાસેથી રૂપીયા સીંતેર હજાર અલગ-અલગ સમયે દશથી પંદર ટકાના દરેથી વ્યાજે લીધેલ અને જેથી પાંચેય આરોપીઓએ અવાર-નવાર તેઓના બાકી રૂપીયાની ફોન પર ઉઘરાણી કરી ધાક ધમકી આપી તેમજ ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા હોય જેથી ફરીયાદી હીરેન તેઓની ધમકીથી ડરી જઇ ઝેરી દવા પી ગયેલ અને પાંચેય આરોપીએ ફરીયાદીને વ્યાજે આપેલ રૂપીયા બાબતે ધાક ધમકી આપી દશથી પંદર ટકા જેટલુ વ્યાજ અત્યાર સુધીમાં વસુલ કર્યાની ફરિયાદ નોંધાવતા સી ડીવીઝન પીએસઆઈ જે.સી.ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.