Mysamachar.in-જામનગર
સૌરાષ્ટ્રની જમીનને નવપલ્લવીત કરી સોનુ ઉગશે તેવી તરબોળ કરવાની હોવાનુ મનાતી અને હોંશે હોંશે શરૂ કરાયેલી સૌની યોજનાના અનેક કી.મી. લંબાઇના પાઇપલાઇન નેટવર્કના કામો જે ખુબજ ચોક્સાઇ અને વૈજ્ઞાનિક ઢબે થવા જોઇએ તેમજ ઇજનેરી કુશળતાના પણ દર્શન થવા જોઇએ તેના બદલે મુળ એજન્સીઓ ગાયબ છે, અને આલ્યા….માલ્યા….અને જમાલીયા….મેદાનમાં છે જે કામના દાટ વાળે છે, જામનગરના કાલાવડમાં પણ કદાચ આવું જ હશે માટે જ ગયા વખતે પાઈપલાઈનો જમીનમાં થી ઊંચકાઈ ને બહાર આવી ચુકી હતી, આ તમામ વાસ્તવિકતા અમુક ચોક્કસ જવાબદાર જાણે જ છે છતા બધુ જ ચાલવા દે છે જે ખરેખર આવા મહત્વના પ્રોજેક્ટની ઘોર ખોદવા જેવુ લાગે છે છતા તેરી ભી ચુપ અને મેરી ભી ચૂપ કેમ ચાલે છે? તે જાણકારો માટે સવાલ છે,
સૌરાષ્ટ્રભરમા નર્મદાના નીર પહોંચાડી હરિયાળી કરવાના વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટના જુદા-જુદા પેકેજના કામો મુળ એજન્સી જ કામ કરે છે કે પેટામા કામ અપાયા છે તે બાબતે તંત્ર પહેલા અજાણ છે અથવા તો અજાણ હોવાનો ડોળ કરતુ હતુ કેમ કે જવાબદાર કાર્યપાલક ઇજનેરે અગાઉ જણાવ્યુ હતુ અમુક પ્રકરણમાં નોટીસ અપાઇ છે, પરંતુ જે તે વખતે વર્ક ઓર્ડરની શરતો કામના સ્પેશીફીકેશનો સાથે મુળ જે પસંદ થઇ છે તે જ એજન્સી કામ કરે છે કે નહી તે બાબતે કોઇ સ્પષ્ટતા કરતુ ન હતુ પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે પેટામાં કે એકના બદલે બીજી એજન્સી કામ કરતી હોવાના તેમજ સ્પેશીફીકેશન નેવે મુકીને કામ ચાલતા હોવાના અનેક પુરાવા હોઇ જવાબદારોએ માનવુ જ પડે એમ છે અને સ્વીકારવુ પડે તેમ છે કે બધુ બરાબર ચાલતુ નથી જો કે જાહેરમાં સ્વીકાર ન કરે તે અલગ બાબત છે.
સિંચાઇ વિભાગ પાસે સ્ટાફ ન હોય પોતે યોગ્ય મોનીટરીંગ ના કરી શકતા હોય કે પછી ગમે તે કારણ હોય જંગી નાણા ખર્ચી કન્સલ્ટન્ટ નીમ્યા છે, જે તપાસ કરતા રહે દેખરેખ રાખે છે, વગેરે માનવાનુ પરંતુ જો તેમ થતુ હોય તો અવારનવાર ખામી ઉછળીને સામે કેમ આવે છે? એટલે કે નક્કી થયેલી કુશળ એજન્સી કામ નથી જ કરતી કામ તો કોક બીજો કે ત્રીજો બળુકો કરવા લાગ્યો છે તેમ ગ્રામ્ય પંથકના અમુક જાણકાર જુથોનુ માનવુ છે કુશળતાના અભાવથી કામ થઇ રહ્યાના કે નિયુક્ત થયેલના બદલે ઓછી કુશળ એજન્સીઓ કામ કરતી હોવાની શંકાઓ આ પ્રશ્ર્ન પાછળ ઉભી થાય છે, બીજી તરફ પેટા એજન્સી દ્વારા કામ થઇ રહ્યા બાબતેના પ્રશ્ર્ને અજાણ રહેલા જવાબદારો હવે મોં સંતાડી શકે તેમ નથી કેમકે આ બાબત હવે છતી થવા લાગી છે.