Mysamachar.in-જામનગર
નોવેલ કોરોના વાયરસ COVID-19ની મહામારીને નાથવા સમગ્ર ભારત દેશમાં લોકડાઉન છે ત્યારે જામનગર ખાતે એક પ્રેરણાદાયી પ્રસંગ ઉજવાયો. જેમાં જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ ઝાલાના પુત્ર હર્ષવર્ધનસિંહ ઝાલા તથા રૂષિરાજસિંહ ચુડાસમાના પુત્રી ઇશ્વરબા ચુડાસમાના લગ્ન આશરે ૨૦ વ્યકતિઓની હાજરીમાં યોજાયા હતા. ઉપસ્થિત ૨૦ મહેમાનો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ જાળવવામાં આવેલ હતું તેમજ નવદંપતિ સહિતના દરેક વ્યક્તિઓએ માસ્ક પહેરી લગ્ન વિધી સંપન્ન કરાઇ હતી. આ લગ્ન પ્રસંગમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા અને અન્ય નાગરિકો માટે પ્રેરણાદાઇ આ લગ્નોત્સવને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના બિપેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતા.