Mysamachar.in-જામનગર:
અત્યારે આધુનિક કાળમાં-બાળકોનાં સમ્પુર્ણ વિકાસ માટે ગુરુકુળ દેશભરમાં વર્ષો થી ગુરુકુળ વ્યવસ્થા પર કાર્ય કરે છે.આજે દિન-પ્રતિદિન બાળકો જિદ્દી-ગુસ્સાવાળા તેમજ સ્વચ્છંદી થતા જાય છે. બાળકોમાં ટી.વી. મોબાઇલ,વીડીયો ગેમ્સ જોવાનું નિરંતર વધતુ જાય છે જેના કારણે તેઓની શારીરિક અને માનસિક શક્તિમાં ઘટાડો થાય છે અનેક પ્રકારના રોગોનો ભોગ બાળકો બને છે. આવી વિષમ પરિસ્થિતિમાં યોગ્ય દિશા આપવી જરૂરી છે.
યોગ્ય દિશા આપવા માટે ભારતીય સંસ્કૃતિએ કહેલા બાલ-માનસના બાળ વ્યવહારનાં સિદ્ધાતો જાણવા ખુબ જ જરૂરી છે. બાળકો પ્રત્યે માતા-પિતા સારો વ્યવહાર તો કરે છે, પરંતુ સાચો વ્યવહાર કરતા નથી કારણકે સાચો વ્યવહાર એટલે શુ? તેની તેઓને ખબર નથી.
બાળકો પ્રત્યે સાચો વ્યવહાર કરવા માટે બાળ-માનસને સમજવું ખુબજ જરૂરી છે. બાલ માનસ બાળ માનસ નો સાંગોપાંગ અભ્યાસ કરી “વૈદિક પેરેન્ટિંગ કોર્ષ’ તૈયાર કરેલ છે. વૈદિક પેરેન્ટિંગ કોર્ષ માતા-પિતાને બાળમાનસને સમજવા અતિશય ઉપયોગી છે. બાળ-માનસની ખૂબીઓ-તેમજ ખામીઓને સમજી તેના પ્રતિ યોગ્ય વ્યવહારનું પ્રશિક્ષણ માટે વૈદિક પેરેન્ટિંગ કોર્ષ છે વૈદિક પેરેન્ટિંગ કોર્ષ-વેદ-ઉપપિનષદ, ગીતા-રામાયણ-મહાભારતનાં સિધ્ધાન્તોનું સંકલન કરી સંસ્કૃતભાષામાં 100 સુત્રો તથા વિભિન્ન ઉપસુત્રોમાં પૂજ્ય વિશ્વનાથ ગુરૂજીએ બનાવેલ છે..
આ વૈદિક પેરેન્ટિંગનો કોર્ષ પ્રત્યેક માતા-પિતાએ કરવા જેવો છે. વૈદિક પેરેન્ટિંગ સમાજ માટે વરદાન તેમજ માતા-પિતા માટે આશીર્વાદ રૂપ છે. આ વૈદિક પેરેન્ટિંના કોર્ષને સમજવા માટે વૈદિક પેરેન્ટિંગના સેમિનારનું આયોજન સૌપ્રથમવાર જામનગરમાં કરવામાં આવેલ છે. જેમાં બાળકોની આંતરિક શક્તિ વધારવા શું કરવુ?, બાળકોને માનસિક શકિત વધારવા શુ કરવું ?, બાળકોના પંચકોશ વિકાસ કરવા માટે શું કરવું ?
ઇત્યાદિ બધાજ વિષયોની સરળ સમજુતી આ સમિનારમાં આપવામાં આવશે. આ સેમિનાર તદ્દન નિ:શુલ્ક છે. દરેક શહેરમાં એકવર્ષે થતો હોય છે. જામનગરમાં આ અદભૂત અવસર આ વર્ષે પ્રાપ્ત થયેલ છે. તો જાહેર જનતાને તારીખ 14 એપ્રીલ 2024ના રોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી એલ. જી. હરીયા સ્કુલ, ઇન્દીરા ગાંધી રોડ, રણજીત નગર, સુમેર કલબ રોડ, જામનગર ખાતે લાભ લેવા સંસ્થાઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.