Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના જામજોધપુરમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકી ગયા હોય તેમ લાગે છે, જામજોધપુર શહેરમાં મંદિર સહીત બે સ્થળોએ ચોરી અને અન્ય એક દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાનો મામલો સામે આવ્યો છે, જામજોધપુર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ગીંગણી રોડ પર આવેલ જલારામ મંદિર ટ્સ્ટના મંદીર તથા ઓફીસમા કોઇ ઇસમ તાળા તોડી અંદર પ્રવેશી અંદર ટેબલના ખાના તથા દાનપેટીમા રહેલ કુલ રૂ.20,000 રોકડ જયારે બીજા બનાવમાં શ્રી રામ ટાયર્સની દુકાનમા ટેબલના ખાનામાંથી રોકડા રૂ.4000 મળી કુલ 24000 ચોરી કરી તેમજ ત્રીજા સ્થળે ધવલ ગેરેજના જયેશગીરીના ગેરેજમા ચોરીનો પ્રયાસ કરી તેમજ માધવ ખોળ કપાસીયાની દુકાનમા પણ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું જાહેર થયું છે. ત્યારે ચાર ચાર જગ્યાના આ બનાવ પરથી જામજોધપુર પોલીસ શું કરી રહી હતી.? તે પણ સવાલ ઉઠે તે સ્વાભાવિક છે.