Mysamachar.ni:જામનગર
જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ બોર્ડમાં ઝળહળતા પરિણામો મેળવવામાં વર્ષોથી અદ્વિતીય સાતત્યતા ધરાવતી હોવાથી પોતાના નામને સાર્થક કરે છે. આ વર્ષે પણ બ્રિલિયન્ટ હાઈસ્કૂલનું ધો. 10 નું ઉત્કૃષ્ટ પરિણામે આપ્યું છે.શાળાના ચેરમેન અશોકભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ટીમના ચાવીરૂપ શિક્ષણની ફલશ્રુતિ રૂપે શાળાના 8 વિધાર્થીઓએ A-1 ગ્રેડ તથા 18 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો છે.માર્ચ 2022મા ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની પરીક્ષા લેવાઈ હતી તેના પરીણામો આવતા જામનગરની બ્રિલીયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સ દરવર્ષ બોર્ડના પરિણામોમાં જે રીતે બાજી મારી જાય છે તે જ રીતે આજે પણ બાજી મારી ગયું છે અને શાળાના તેજસ્વી તારલાઓ આજે વધુ એક વખત ઝળહળી ઉઠયા છે,
જામનગરમા ત્રણ દાયકાથી કાર્યરત શૈક્ષણીક સંકુલ ધબકે છે તેવા બ્રિલીયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સ બીજમા થી વટવૃક્ષ બન્યુ છે અને વિદ્યાર્થીઓને પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારીઓ માટે પાઠ્યપુસ્તક શિક્ષણ પ્રવાસ પ્રયોગ ઇતર પ્રવૃતિઓની તક સાથે સુષુપ્ત શક્તિઓ ખીલવવાની તક મળતી હોય કારકીર્દી ઘડતર કરવાનુ વિઝન મળે છે અને જ્યા વિદ્યાર્થી શિક્ષણ મેળવી ખીલે છેસફળતાના મુક્ત ગગનમા સંસ્કાર અને કેળવણીના સદગુણોના સમન્વય એટલે બ્રીલીયન્ટ ગ્રુપ ઓફ સ્કુલ્સ છે, જેનુ મુલ્યાંકન નિરીક્ષણ કરીએ ત્યારે સંતોષ થાય છે તેમ આ જ્ઞાનમંદિરના ડાયરેક્ટર ઉષ્મીતાબેન ભટ્ટ તેમજ ચેરમેન અશોકભાઇ ભટ્ટ જણાવે છે
અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટએ શિક્ષણ આપવામામા નિયમિત નવ્ય આયામો વિકસાવ્યા છે અને તેના અમલ કરી બાળકોમા સઘન શિક્ષણ તો મળે જ સાથે સાથે સંસ્કાર અને સમજણનુ સિંચન થાય તે માટે ભેખ ધર્યો હોવાનુ અગણીત વાલીઓના તેમજ સમીક્ષકોના અભિપ્રાય મળ્યા છે અને આ જ પ્રમાણપત્ર એ ભટ્ટ દંપતિના માટે સાદર સન્માન છે અને પ્રેરણાબળ છે
અશોકભાઈ ભટ્ટ અને તેમના પરિવાર દ્વારા જામનગર શહેરની મધ્યમાં આવેલ લીમડા લાઈન વિસ્તાર ખાતેથી શાળાની શરૂઆત વર્ષ 1990 થી કરવામાં આવી હતી, છેલ્લા 30 થી વધુ વર્ષથી શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલા હોવાથી ખૂબ સારો અનુભવ ધરાવતા હોવાના કારણે આજે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ તેમના માર્ગદર્શન હેઠળ અભ્યાસ આપી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે ખૂબ જ પાયારૂપ સાબિત થઈ રહ્યા છે, ખાનગી શાળાઓમાં એક નવો આયામ લઈને અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટ દ્વારા ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણને એક નવી દિશા આપી છે , વિદ્યાર્થીને માત્ર પુસ્તકના જ્ઞાન સાથે તેનો સંપૂર્ણ અને સર્વાંગી રમત-ગમત તેમજ આધુનિક ટેકનોલોજી સાથે વિકાસ થાય તે હેતુસરનો અભ્યાસ અનુભવી શિક્ષકોના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે તેમ પણ જાણવા મળ્યુ છે,
વિશ્વની સૌથી મોટી મહામારી એટલે કોરોના કાળમાં જે બાળકોએ પોતાના માતા અથવા પિતા ગુમાવ્યા હોય અને અભ્યાસને ઝંખતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ શકાય તે પ્રકારનો નિર્ણય બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલસ દ્વારા લેવામાં આવ્યો જેના ભાગરૂપે તેમની શાળામાં 200 થી પણ વધુ વિદ્યાર્થીઓને નર્સરી થી લઈ ધોરણ 12 સુધી વિનામૂલ્યે અભ્યાસ કરવા કરોડો રૂપિયાની કિંમતની ફી માફી કરવામાં આવી છે જે ખૂબ જ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે…આમ એક શાળાકીય વાતાવરણ સાથે, બેસ્ટ મેનેજમેન્ટ ઉપરાંત શ્રેષ્ઠ શિક્ષકોની ટીમનો સેતુ આજથી નહિ પણ દાયકાઓથી બ્રિલીયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સમાં જોવા મળે છે, અને તેથી જ શ્રેષ્ઠ પરિણામોમાં પણ બ્રિલીયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સ હમેશા મોખરાના જ સ્થાને હોય છે.