Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ અને તાજેતરમાં “ખેલાડી” બનવા તરફ કારસા કરી રહેલા આ અધિકારી પોતે જ આ પોસ્ટ ઉપર ગેરકાયદેસર રીતે ચીપકીને બેઠા છે કેમકે આસીસ્ટન્ટ કમિશ્નર ટેક્સ અને વહીવટ એમ બે મહત્વની પોસ્ટ ઉપર લાયકાત વગર બેઠા હોવાનો પુરાવાઓ સાથે એક્ટીવીસ્ટે આક્ષેપ કર્યો છે, અને આ પોસ્ટ ઉપરથી હટાવવા જ જોઇએ તેવી ભારપુર્વક માંગણી કરાઇ છે , બીજી તરફ આ ચીફ એકાઉન્ટન્ટ કોઈને એવુ કહેતા હતા કે તે તો ડેપ્યુટી કમિશ્નર થાય તેટલી જાજી બધી લાયકાત ધરાવે છે તો પછી ભાઇ ડેપ્યુટી નહી કમિશનર જ થાઓને આમેય બહારથી આવતા અધિકારીના આંખે પાટા કેમ બાંધવા તેમજ પોતાનું હિત કેમ સાચવવુ અને બીજા અમુક કર્મચારી કે અધિકારીને કેમ નડવું કેમ ત્રાસ આપવો એ બધી ફાવટ ધરાવનાર આ અધિકારીની લાયકાત બાબતે માત્ર અરજી નહી કોર્ટમાં પડકારવાની જરૂર હોવાનો એક અભિપ્રાય છે,
આર.ટી.આઇ. એક્ટીવીસ્ટ પ્રદ્યુમનસિંહ જાડેજાએ કરેલી અરજીમાં જણાવ્યા મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા સેટઅપ મંજૂરી અર્થે શહેરી વિકાસ ગાંધીનગર સમક્ષ મોકલવામાં આવેલ છે સેટઅપના આ મોકલાયેલા પ્રકરણ હેઠળ જામનગર મહાનગરપાલિકાના એક ઊચ્ચ અધિકારી નું અંગત હિત સમાયેલ છે. આ બુધ્ધિજીવી અધિકારી મહાશય દ્વારા સેટઅપના બહાના હેઠળ GPMC એકટની કલમ-45 નીચે આવતી પોસ્ટ ને પણ મંજૂર કરાવવા મોકલી આપેલી છે. તેમાં પગાર ધોરણ જ સુધારવાનું હોય તેવું દર્શવામાં આવેલ છે. નિયમ અનુસાર જે તમામ પ્રક્રિયા અનુસારવાની થતી હોય તેવી એક પણ પ્રક્રિયા અનુસરેલ નથી.
હાલ મનપામાં આસિસ્ટન્ટ કમિશ્નર (ટેકસ) ની જે લાયકાત મંજૂર થયેલ છે. તેમાં યુનિવર્સિટી ગ્રેજયુએટ સાથે બીજા વર્ગના એલ એલ બી અને એલ એસ જી ડી પરીક્ષા પાસ તથા મ્યુનિસિપલ વહીવટની ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ તથા ટેક્સ ખાતામાં કરેલું હોવું જોઈએ આ લાયકાત ફેરવવા પહેલા પણ પ્રક્રિયા થયેલ છે અને આ લાયકાત બરોબર હોય સરકાર દ્વારા તમામ સુધારા નામંજૂર કરી દેવામાં આવેલ છે. આ લાયકાત અને સિનિયોરિટી ધરાવતા અધિકારીને પ્રમોશન આપતો ઠરાવ પણ જનરલ બોર્ડ દ્વારા કરી દેવામાં આવેલ છે. તેને પણ નિયમોની ઉપરવટ જઈ વહીવટી મજૂરી આપવામાં આવેલ નથી,
પરંતુ હાલના ચીફ એકાઉન્ટન્ટ દ્વારા જામનગર મહાનગર પાલિકામાં પોતે એક જ લાયકાત ધરાવે છે તે મંજૂરીની લાયકાત સુધારી કોઈ પણ જાતની પ્રક્રિયા વગર પાછલા બારણે સરકારને અંધારામાં રાખી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરેલ છે, તે ગેરકાયદેસર છે આ અરજીમાં એમ પણ જણાવાયુ છે કે એકની આડમાં બીજું કામ કરવાની “ધેલછા” આ હરખ પદુળા અધિકારીને છાવરવા માટે મનપાની ચોક્કસ બોડી કામે લાગી છે. અને સરકારને પણ ઉઠા ભણાવતા અચકાતાં નથી
હાલ જામનગર મહાનગરપાલિકામાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા નિર્મળ જીગ્નેશ પાસે (AMC)ટેકસ (AMC) વહીવટ જેવા મહત્વનો ચાર્જ છે, અને નવાઈની વાત તો એ છે. કે જે “બે” ચાર્જ આપવામાં આવેલ છે. તેમાથી એક પણ લાયકાત જીગ્નેશભાઈ પાસે નથી આ બંને પોસ્ટમાં આ માનીતા અધિકારી ને જ ગોઠવામાં આવેલ છે. પછી નિયમ અને સેટઅપના પોઇન્ટસને નેવે મુકી જામનગર મહાનગર પાલિકાનો વહીવટ ચાપલુસિયા અને ચમચાના હાથમાં છે, હાલ મનપાએ મોકલેલ સેટઅપ તેનું જીવતું ઉદાહરણ છે પરંતુ આ પોસ્ટની લાયકાત મજૂરી માટે જે પ્રક્રિયા કરવી જરૂરી હોય તે પ્રક્રિયા કર્યા વગર જ મંજૂર કરવાની પ્રક્રિયા કરેલ છે. અને સરકારને ગેરમાર્ગે દોરવામાં આવેલ છે,.
તેમજ GPMC એક્ટની કલમ-45 નીચે આવતી પોસ્ટ વર્ષ 1981 માં જ્યારે જામનગર મહાનગર પાલિકાનો દરજજો મળ્યો ત્યારથી અત્યાર સુધી જ્યારે લાયકાત સુધારવાની જરૂરીયાત ઉભી થયેલ ત્યારે જે જે પ્રક્રિયાઓ કરવામાં આવેલ તે મુજબની એક પણ પ્રક્રિયા વગર એક અધિકારીને તે જગ્યાને તે જગ્યાનો લાભ અપાવવા આ અધિકારીની લાયકાતને જનરલ બોર્ડમાં ઠરાવ કરી અને સરકાર ની મંજૂરીમાં મોકલાવવામાં આવેલ અને તે પણ આખા સેટઅપની આડમાં માનીતા અધિકારીની જે લાયકાત હોય તે મુજબની લાયકાત સેટઅપમાં ઉભી કરી મંજૂરી અર્થે મોકલી પાછલા બારણે કંઇક કારસા કરવામાં આવી રહ્યા છે.
આ ગંભીર બાબત ગણાય સરકારએ આ તમામ પ્રક્રિયા રદ કરવી જોઈએ તે ઉપરાંત પણ GPMC એકટની કલમ-45 હેઠળ આવતી પોસ્ટ માટે જે અલગથી દરખાસ્ત કરેલ છે. તેમાં પણ પગાર ધોરણ સુધારો દર્શાવેલ છે. જયારે કે હકીકતમાં લાયકાત પણ સુધારી નાખે છે. જેથી જ્યારે મંજૂરી મળે ત્યારે સરકારમાથી મંજૂરી મળેલી છે, તેવું દર્શાવી શકાય અને સાબિત થાય GPMC એકટની કલામ-45 નીચે આવતી પોસ્ટના ફેરફાર માટે જે પ્રક્રિયા કરવાની થયે તે મુજબ જનરલ બોર્ડમાં ઠરાવ કરી પબ્લિકના વાંધા સૂચનો માંગવાના હોય છે. ત્યારબાદ તેને સાંભળી ફરી જનરલ બોર્ડમાં દરખાસ્ત કરી ઠરાવ કરવવાનો હોય છે. અને ત્યારબાદ સરકારની મંજૂરી માટે મોકલવામાં આવે છે. જે મંજૂર થાય અને ગેઝેટમાં પ્રસિધ્ધ થાય ત્યારે અમલમાં આવે છે, અને 1981થી હાલ સુધી આ જ પ્રક્રિયા અપનાવામાં આવેલ છે.
પરંતુ હાલે જનરલ બોર્ડના સીધા ઠરાવને સીધો સરકારમાં મોકલી આપવામાં આવેલ છે જે ગેરકાયદેસર છે. તથા એક અધિકારીને લાભ આપવામાં માટે ગેર કાયદેસર કૃત્ય કરેલ છે માટે રજૂઆતની ગંભીરતા નજર સમક્ષ લઈ GPMC એકટની કલમ-45 નીચે આવતી પોસ્ટ અંગે જરૂરી પ્રક્રિયા અનુસરવામાં ન આવે ત્યાં સુધી તેને મંજૂરી ન આપવા માં આવે તેવી માંગણી પણ વધુમાં એક્ટીવીસ્ટે આ રજુઆતમાં કરી છે.જો કે આ સમગ્ર પ્રકરણ તટસ્થ તપાસ માંગી લેતું છે જે બાદ ઘણા તથ્યો સામે આવી શકે છે.