Mysamachar.in:જામનગર
જામનગર શહેરના પોષ વિસ્તારો પૈકીનો એક અને ભાજપનો ગઢ ગણાતા વિસ્તાર એવા વોર્ડ નંબર ત્રણના લોકોએ જેને 108નું બિરુદ તેમની કામગીરીને લઈને આપ્યું છે. તેવા ભાજપના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશી દ્વારા સતત બીજા વર્ષે પણ વોર્ડ નંબર 3ના વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ તાજેતરમાં ગાંધીનગર રોડ પર આવેલ વિશ્વકર્મા બાગ ખાતે યોજાઈ ગયો જેમાં શહેરના આગેવાનો, મોટી સંખ્યામાં સન્માન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા અને સતત બીજા વર્ષે થયેલ આયોજન દીપી ઉઠ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.3 માં રહેતા તમામ સમાજના ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ગત તા.01-07-2023, શનિવારના રોજ સાંજના 5.30 કલાકે વિશ્વકર્મા બાગ ખાતે વિશાળ સંખ્યામાં યોજવામાં આવેલ. જેમાં 455 વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવેલ. આ પ્રસંગે ખાસ સ્વામીનારાયણ મંદિર બેડી ગેઇટના મહંત ચર્તુભુજ સ્વામીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ.
આ પ્રસંગે રાજય સરકારના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), રાજકોટથી ખાસ પધારેલા રવિ ઇન્ફોટેડના અમુભાઇ ભારદીયા, પૂર્વ મેયર દિનેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હસમુખ જેઠવા, પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિન્ડોચા, અશોકભાઇ નંદા, નિલેષભાઇ ઉદાણી, ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ રમણીક ગોરેચા, ટ્રસ્ટી દિલીપ મામા, જીલ્લા બ્રહ્મ સમાજ ટ્રસ્ટી એન.સી.ત્રિવેદી, જીલ્લા પ્રમુખ પ્રફુલભાઇ વાસુ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશભાઇ ડાંગર, પ્રો. માલવીયા, દાણીધારનાં ટ્રસ્ટી શિવુભા ભટ્ટી, હાપા માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર ધીરૂભાઇ કારીયા, દિપકભાઇ સામાણી, ઇન્દ્રદીપ સોસાયટીના પ્રમુખ બિનાબેન સામાણી, મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ), એચ.ડી.એફ.સી. બેંકના નિરજ દત્તાણી, રણજીત મા૨ફતીયા, રાજુ મારફતીયા, વોર્ડ પ્રભારી નિતીન સોલાણી, અંજન મસાલીયા, લાયન્સ ક્લબનાં મહેન્દ્રસિંહ જાડેજા, મહાનગરપાલિકાના પદાધિકારીઓ – કોર્પોરેટરો, શહેર સંગઠનના હોદેદારો, સામાજીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા વગેરે અન્ય કાર્યક્રમમાં હોવાથી ઉપસ્થિત રહી શકેલ નહી. જેથી તેમના શુભેચ્છા સંદેશ પાઠવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ચંદન ઇન્સ્ટીટયુટના નૈમિષ ધ્રુવ, જૈનમ ક્લાસીસના વિમલ ફોફરીયાએ ખાસ જહેતમ ઉઠાવેલ તથા વોર્ડ નં.3 ની સમગ્ર ટીમ તથા વિશાળ મિત્ર વર્તુળે કાર્યક્રમને સફળ બનાવેલ. કાર્યક્રમનું સંચાલન બિમલ ઓઝા તથા પ્રવિણસિંહ કે. જાડેજાએ કરેલ. કાર્યક્રમ પૂર્ણ થયે તમામ માટે સ્વરૂચી ભોજનનું આયોજન કરવામાં આવેલ અને તમામ મહેમાનઓએ પણ સુભાષભાઇ જોષી તથા સિધ્ધાંતભાઇ જોષીની આ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાની પ્રવૃતિઓને બિરદાવેલ હતી.