Mysamachar.in-જામનગર
કોરોના વાયરસની મહામારી વચ્ચે પાનમસાલાની દુકાનનો સદંતર બંધ છે, ત્યારે કેટલાય બંધાણીઓ પોતાનું વ્યસન છૂટે તેવી ટેવ કેળવી રહ્યા છો, તો જેને ચાલે તેમ નથી તે ત્રણ ગણા સુધીના ભાવો આપવા પણ તૈયાર થયા છે, ત્યારે આ તમામ સ્થિતિ વચ્ચે જામનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતા અલ્તાફ ખફીએ કલેકટરને સબોધીને લખેલા પત્રમાં રજૂઆત કરી છે કે લોકડાઉન અન્વયે જે થોડી ધણી છૂટછાટ આપવામાં આવી રહી છે. તેમાં ફક્ત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ માટે જ છૂટછાટ આપવામાં આવી રહી છે.
જેથી પ્રતિબંધીત વસ્તુ તરીકે માવા-ફાકી અને તમાકુ વેંચતા પાન ગલા કે દુકાનો બંધ રહેતી હોય,આથી આવા વ્યસનીઓનો બંધાણનો લાભ લઈ આવા બંધાણીઓને જે સામાન્ય માવા ફાકી દશ રૂપીયાની મળતી હતી તે અંદાજિત ત્રીસ રૂપીયા વેંચાય રહી છે. તેમજ બીડી જે 1 જુડી આશરે 20 રૂપીયાની મળતી હતી તે 80 રૂપીયાના કાળાબજારમાં મળે છે. એટલુ જ નહીં આ માટે કાળાબજારીયા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું શોષણ કરવામાં આવી રહયું છે. તેમજ સોપારી જેવી વસ્તુ જે પ્રતિબંધીત નથી છતાં કેટલાક શખ્સો દ્વારા તેના કાળાબજાર થઈ રહયા છે. સરકારએ આ બાબતે કાં તો નાના કે મોટા વેપારીઓનો માલ સમાન જપ્ત કરવા જોઈએ જેથી કાળાબજાર ન થાય અથવા તેના વેચાણ ઉપર થોડી છૂટ આપવી જોઈએ જેથી વેપારીઓ કાળાબજાર કરી નફાખોરી ન કરી શકે. અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું શોષણ કાળાબજારી ના થાય તેવી માંગ ખફીએ કરી છે.