My samachar.in:-જામનગર
મૂળ સુરતના એસઆરપી કેમ્પના પરંતુ હાલ જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામે ફરજ બજાવતો એસઆરપી જવાન લાપતા બનતા ગુમ નોંધ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, મળતી વિગત મુજબ સુરતમાં વાવ એસઆરપી કેમ્પમાં સી બ્લોક નંબર 11 માં રહેતા અને હાલ લાલપુર તાલુકાના કાનાલુશમાં ફરજ બજાવતા નીતિનભાઇ બાબુભાઈ ધુલિયા (ઉ.વર્ષ 52) નામના 5′5″ ઉંચાઈ ધરાવતા ગુજરાતી અને હિન્દી ભાષા જાણતા શરીરે પોલીસ યુનિફોર્મ પહેરેલા પ્રોઢ ગત રવિવારે સાંજથી સવાર સુધીમાં તેની ફરજ દરમિયાન કાનાલુશ માંથી ઘરના કોઇ પણ વ્યક્તિને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતા. આ અંગેની એસઆરપીના જ રાજેશ ગામીત દ્વારા જાણ વી.સી.જાડેજા તથા સ્ટાફે જવાન વિશે કોઇ પણ માહિતી મળે તો મેધપર પોલીસ સ્ટેશનના મો.63596 27849 ઉપર સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.