Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં હમણાં હમણા તસ્કરો બેફામ બન્યા છે, તેવામાં સીટી બી ડીવીઝન હેઠળ આવતા રામેશ્વરનગર નજીક આવેલ નિર્મલનગર તેમજ સ્વામીનારાયણ નગર વિસ્તારમાં રાત્રીના સમયે એક નિવૃત પોલીસકર્મી સહિતના 2 મકાન અને એક દુકાન સહિતના સ્થળોએ ચોરી અને ચોરીના પ્રયાસની ઘટના સામે આવી છે, અને બી ડીવીઝન સ્ટાફ ત્યાં પહોચી તપાસ હાથ ધરી રહ્યો છે. કેટલો મુદ્દામાલ આ ચોરીમાં ગયો અને કેટલા સ્થળોએ ચોરી તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.આ અંગેની વિગતો પોલીસ એકત્ર કરી રહી છે.