Mysamachar.in-મહેસાણા:
મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના ડાભલા ગામે આવેલા ચંદ્રનગર પરા વિસ્તારમાં સોમવારે રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ એક સાથે 6 બંધ મકાનોનાં તાળાં તોડ્યાં હતાં. જોકે, 5 મકાનમાંથી તેમને કશું હાથ લાગ્યું ન હતું. પરંતુ એક મકાનમાંથી રૂ.15 હજારની રોકડ સહિત રૂ.16 હજારની મત્તા ચોરી ગયા હતા. વસઈ પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.
 
			 
                                 
					

 
                                 
                                



 
							 
                