Mysamachar.in:જામનગર
થોડા દિવસો પૂર્વે લાલપુર તાલુકાના રાફૂદળ નજીક એક યુવતીની અતિ ક્રુરતા પૂર્વક હત્યા કરી હત્યારો ફરાર થઇ ચુક્યો છે અને પોલીસ હજુ પણ હત્યારાનો તાગ મેળવી શકી નથી ત્યારે મૃતક યુવતીના પિતા સહિતના ચેલા ગામના સતવારા સમાજના ભાઈઓ બહેનોએ ગતસાંજે એકઠા થઇ અને જામનગર એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી આરોપી સામે કડક પગલા ભરવા રજૂઆત કરી હતી, યુવતીના પિતાએ જે અરજી કરી છે તેની વિગતો પર નજર કરીએ તો,
જામનગર નજીક આવેલ ચેલા ગામના રહીશ મનસુખભાઈ રણછોડભાઈ કણજારીયાની પુત્રી અર્ચના, ઉ.વ.આ.23, ૨હે. ચેલા, તા.જી. જામનગ૨વાળી ફેસ-૩, દરેડ, જામનગ૨ મુકામે આવેલ પુજા કારખાનામાં મજુરી કામે જતી હતી અને તે કારખાનામાં મિસ્ત્રી તરીકે કામ ક૨તો છોકરો ભાવેશ રણછોડભાઈ સોનગરા જે લાલપુર તાલુકાના નાની રાકુદડ ગામનો રહેવાસી હોય, તે ભાવેશ રણછોડભાઈ સોનગરા ગઈ તા.4/4/2023ના રોજ રાત્રીના કોઈપણ વખતે અર્ચનાને લલચાવી, ફોસલાવીને, ધમકાવીને લઈ ગયેલ, ત્યારબાદ વહેલી સવા૨ના 4:45 કલાકે મોબાઈલ નંબરઃ 88472 70543 નંબર ઉ૫૨થી વોટસએપ કોલ આવેલ અને હું ભાવેશ સોનગરા બોલું છું તમારા વોટસએપ નંબર પર મેસજ કરેલ છે તે જોવ, જેથી મૃતક અર્ચનાના પિતાએ વોટસએપ ખોલતા તેમાં ઓડીઓ કલીપ સાંભળતા અરજદારની દિકરી અર્ચનાનો અવાજ હોય અને એકદમ ગભરાયેલ હાલતમાં બોલતી હતી જેથી મૃતકના પિતા મનસુખભાઈએ તપાસ કરતાં દિકરી મળી આવેલ નહી.
જે બાદ તપાસ કરતા કરતા પરિવારના સભ્યો લાલપુરના રાફૂદળ પહોચ્યા હતા અને સરપંચની મદદ લઇ તપાસ કરતા અર્ચના લોહી લુહાણ હાલતમાં મ૨ણ ગયેલ પડેલ હતી અને ડોકના ભાગે બોથડ પદાર્થ નથા તીક્ષ્ણ હથીયારના ઘા મારી ઈજા જોવામાં આવતા આ અંગે લાલપુર પોલીસ સ્ટે. માં બનાવ બાબતેની જાણ કરેલ અને પોલીસે સ્થળ પર પહોચી અર્ચનાની લાશ પી.એમ. માટે મોકલી આપેલ અને આ બનાવની ફરિયાદ નોંધી હતી.
બનાવ બન્યાથી આજદિન સુધી આરોપી નાસતા ફરતા હોય અને આરોપી અગાઉ પણ રાજકોટ મુકામે આવો જ ગુન્હો કરેલ હોય અને આરોપી દ્વારા જામનગર મુકામે પણ ગુન્હો કરેલ હોય અને કલ્યાણપુર તાલુકામાં સાયબર ક્રાઈમના ગુન્હાઓ આચરેલ હોય, આમ આરોપી ગુનાહીત ઈતિહાસ ધરાવતા હોય, સાતીર દિમાગવાળો હોય, આવા ગુન્હાની ટેવવાળો હોય અને આરોપીને તાત્કાલીક ધો૨ણે ધ૨પકડ ક૨વામાં ન આવે તો આવા ગુન્હા ફરીથી કરે તેવી પુરી દહેશત હોય, આરોપી મહીલા વિરોધી ગુન્હા કરવાની ટેવ ધરાવતો હોય, સમાજમાં જો આવો આરોપી નાસતો ફરતો રહે તો સમાજને અવળી અસ૨ થાય અને આવા ગુન્હા સમાજમાં વધે તેવી શકયતા રહે છે.
હાલના બનાવ જેવો જ બનાવ જેતપુર તાલુકામાં બનેલ તેમજ સુરતમાં પણ બનેલ તેમાં બન્ને બનાવમાં પણ આરોપી દ્વારા ગળા કાપીને હત્યા ક૨વામાં આવેલ, હાલનો બનાવ પણ આરોપી દ્વારા તે જ રીતે અંજામ આપેલ હોય ઉપરોકત બન્ને બનાવમાં પોલીસ દ્વારા તાત્કાલીક ધોરણે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરીને કોર્ટમાં તાત્કાલીક ચાર્જશીટ કરેલ, કોર્ટ દ્વારા બન્ને બનાવમાં આરોપીને ફાસીની સજા આપેલ અને કોર્ટ દ્વારા ફરીયાદીને ન્યાય આપવામાં આવેલ,
હાલના બનાવમાં પણ જો આરોપીને તાત્કાલીક ધો૨ણે જો ધ૨પકડ ક૨વામાં ન આવે તો ફરીયાદીને સમયસ૨ ન્યાય મળે તેમ ન હોય અને કેસ નબળો થઈ જવાની શકયતાઓ હોય, તેમજ આરોપી પુરાવાનો નાશ કરે તેમ હોય, તેમજ આરોપની મોડી ધરપકડથી આરોપીને લાભ થાય તેમ છે. જેથી ફરીયાદીને સમયસર ન્યાય મળવાની શકયતા ન હોય જેથી આરોપીને તાત્કાલીક ધો૨ણે ધ૨પકડ ક૨વી જરૂરી છે. કોર્ટ દ્વારા ફાંસીની સજા આપેલ હોય જેથી હાલનો બનાવ પણ ગંભીરમાં ગંભીર હોય અને આરોપીઓને ફાસીની સજા મળે તો ફરીયાદીને ન્યાય મળે તેવી માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે.